મોરબી આપ દ્વારા સુરતમાં મનોજભાઇ ઉપર હુમલો કરનારા સામે તાત્કાલિક સજાની માંગ
માળીયા (મી.) તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કૃષિ મંત્રીને રજૂઆત
SHARE
માળીયા (મી.) તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કૃષિ મંત્રીને રજૂઆત
માળીયા (મી.) તાલુકામાં ભારે વરસાદ ચાલુ વર્ષ પડ્યો હોવાથી આ તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે અગાઉ રજૂઆતો કરવામાં આવી જ છે ત્યારે મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દ્વારા રાજ્યના કૃષિ મંત્રીને વધુ એક લેખિત રજૂઆત કરવામાં આવી છે
મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયદિપભાઈ સંઘાણીએ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે માળીયા (મી.) તાલુકામાં પણ સારો વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે ખેડૂતોને નુકસાની ભોગવી ન પડે તે માટે માળીયા (મી.) તાલુકાના ઘણા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે તેનો તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને સરકાર તરફથી મળવા પાત્ર થતી સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ માળીયા (મી.) તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે