ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં છત ઉપરથી નીચે પટકાયેલ બાળકીનું મોત


SHARE













વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં છત ઉપરથી નીચે પટકાયેલ બાળકીનું મોત

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં છત ઉપરથી રમતા રમતા નીચે પડી ગયેલ બાળકીને માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે।

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ રોલેક્સ સિરામીક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા શૈલેષભાઈ વજાભાઈ ગરાસીયાની ત્રણ વર્ષની દીકરી પૂજાબેન કારખાનામાં મકાનની છત ઉપર રમતી હતી ત્યારે ત્યાંથી રમતા રમતા તે નીચે પડી ગઈ હતી જેથી કરીને પૂજાને માથાના ભાગે ગંભીર જાતે હોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

વૃદ્ધનું મોત

મોરબી નજીકના ભડીયાદ ગામે આવેલ હરિઓમ પાર્કમાં રહેતા લક્ષ્મણભાઈ દેવશીભાઈ મકવાણા (ઉમર ૫૬) પ્રિયા ગોલ્ડ સીરામીક કારખાના પાસે હતા ત્યારે કોઈપણ કારણોસર તે મૃત્યુ પામતા તેના ડેડબોડીને તેનો દીકરો રાજેશભાઈ લક્ષમણભાઇ મકવાણા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરતાં એએસઆઈ જે.પી.કણસાગરા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે મૃતકને બ્રેનહેમરેજ થવાથી તેનું મોત નીપજયું છે.






Latest News