વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં છત ઉપરથી નીચે પટકાયેલ બાળકીનું મોત
મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ
SHARE
મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાનું બે માસ પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ બનનાર સગીરાની માતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને હાલમાં તેને જેલ હવાલે કરેલ છે
જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતી સગીરાનું અંદાજે બે મહિના પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ બનનાર સગીરાની માતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બળદેવ ઉર્ફે સુરેશ નામના શખ્સની સામે જેતે સમયે ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે તાલુકા પોલીસ મથકના ઇનચાર્જ પીઆઇ ગોઢાણીયા દ્રારા કલમ ૩૬૩,૩૬૬ તેમજ પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ ચલાવીને સગીરા તેમજ આરોપીને શોધી કાઢવામાં આવ્યા હતા અને મેડીકલ પરીક્ષણમાં દુષ્કર્મ ફલીત થતા કલમ ૩૭૬ નો પણ ઉમેરો કરીને હાલમાં આરોપી બળદેવ ઉર્ફે સુરેશ મૂળજીભાઈ સેખવા (ઉમર ૩૩) હાલ રહે.પ્રેમજીનગર (મકનસર) તા.જી.મોરબી મૂળ રહે.કૂડા તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.
યુવતી-આધેડ-વૃદ્ધા સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશિપમાં વૈભવ હાઈટમાં રહેતી રૂચાબેન અનિલભાઈ માનસર નામની ૨૦ વર્ષની યુવતી ગુજરાત હાઉસિંગ બોર્ડ (મહારાણા પ્રતૈપ સર્કલ) તરફ જતી હતી ત્યાં રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી તેણીને શહેરના સામાકાંઠે આવેલી શિવમ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.જ્યારે મોરબીના વીસીપરામાં આવેલ સ્વરાજ નળિયાના કારખાના પાસે રહેતા કાંતિભાઈ પુનાભાઈ મહાલીયા નામના ૫૦ વર્ષના આધેડે કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી જતા તેમને ૧૦૮ વડે સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.તેમજ મોરબીના પંચાસર ગામે ગંગાબેન કરશનભાઈ પરમાર નામના ૬૫ વર્ષના વૃદ્ધાને કામ દરમિયાન વીંછી કરડી જતા તેઓને પણ ૧૦૮ વડે અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
વૃધ્ધા સારવારમાં
સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના સરસાણાના વતની મોરબીની પ્રભાત હોસ્પીટલેથી મંગલમ હોસ્પીટલે બાઇકમાં જતા હતા ત્યારે રસ્તામાં બાઇક સ્સીપ થઇ જતા સારવારમાં ખસેડાયા હતા.જયારે હળવદના માનસર ગામે રહેતા ટીનાભાઇ ભીખાભાઈ લગદાણીયા (૩૩) અને ધવલભાઈ ભીખાભાઈ લગદાણીયા (૧૨) નામના બે લોકો મેરૂપર ગામેથી માનસર જતા હતા ત્યારે રસ્તામાં તેઓના બાઇકની આડે કૂતરૂ આડુ ઉતરતા બાઇક સ્લીપ થઇ જવાથી ઇજાઓ થતા બંનેને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.