ખેડૂતોના ખેતરમાં થાંભલા ઊભા થવાથી ખેડૂતો નહીં કંપની જ કમાવાની છે, વળતર પૂર કેમ નથી આપતા ?: મોરબીના જેતપર ગામેથી ઈશુદાન ગઢવીનો પ્રશ્નાર્થ મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા રવિવારે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે મોરબીમાં ચાલતા જન કલ્યાણકારી વિકાસ કામોની મંત્રી ત્રિકમ છાંગા અને કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત લીધી મોરબીના નીચી માંડલ ગામે પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાના અધ્યક્ષસ્થાને જન કલ્યાણ શિબિર યોજાઈ મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજના બીબીએના વિધાર્થીઓએ મુન્દ્રા ખાતે અદાણી ગ્રુપના એકમોની લીધી મુલાકાત


SHARE











મોરબીની પી.જી.પટેલ કોલેજના બીબીએના વિધાર્થીઓએ મુન્દ્રા ખાતે અદાણી ગ્રુપના એકમોની લીધી મુલાકાત

વિધાર્થીઓને પ્રેક્ટીકલ શિક્ષણ થકી પુસ્તકના જ્ઞાન સાથે સાથે વ્યવસાયિક અનુભવો પણ મળે તેવા હેતુથી મોરબીની પી.જી.પટેલ કોલેજના બીબીએના વિધાર્થીઓ માટે સંસ્થા દ્વારા અભ્યાસક્રમના ભાગરૂપે કચ્છ ના મુન્દ્રા ખાતે આવેલ અદાણી ગ્રુપના વિવિધ એકમોની મુલાકાતનંઓ આયોજન કરવામાં આવ્યું હતું.તા ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બર ના રોજ મુન્દ્રા ખાતે અદાણી ગ્રુપના વિવિધ એકમો જેવા કે અદાણી પાવર, અદાણી પોર્ટ , અદાણી વિલ્માર વગેરે જેવા સુવિખ્યાત ઓદ્યોગિક એકમોની મુલાકાત લઈને સમગ્ર કામગીરી થી વિધાર્થીઓને વાકેફ કરવામાં આવ્યા હતા. આ એકમોની મુલાકાત દરમિયાન વિધાર્થીઓને કંપનીના અધિકારીઓ દ્વારા મેનેજમેન્ટ ના પાઠ  શીખવવામાં આવ્યા હતા અને આ વિધાર્થીઓ ભવિષ્યના એક સફળ મેનેજર કેમ બની શકે  એ અંગે અર્થસભર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સમગ્ર મુલાકાત દરમિયાન પી.જી. પટેલ કોલેજના પ્રાધ્યાપકો વિપુલ ગોસ્વામી અને હાર્દી દવે વિધાર્થીઓ સાથે જોડાયા હતા.






Latest News