મોરબીના સિમ્પોલો ગૃપમાં ૫૨૫ કરોડનું મોતીલાલ ઓસવાલ ઈકવિટી કંપની કરશે રોકાણ
મોરબીમાં કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજતી કથાની ભવ્ય પોથીયાત્રા-શોભાયાત્રા નીકળશે
SHARE
મોરબીમાં કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજતી કથાની ભવ્ય પોથીયાત્રા-શોભાયાત્રા નીકળશે
મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પરિવાર દ્વારા ભાઈશ્રી રમેશભાઈ ઓઝની કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા, ૧૨ થી ૧૮ સુધી આ કથા યોજવાની છે જેની તા ૧૧ ને રવિવારે બપોરે ભવ્ય પોથીયાત્રા નીકળશે.
આ પોથીયાત્રા અને શોભાયાત્રા મોરબીની ઉમા ટાઉનશીપમાં આવેલ ઉમિયા માતાજી મંદિરથી પ્રસ્થાન થઈ સર્કિટ હાઉસ, મહારાણા પ્રતાપ સર્કલ, વાઘજી ઠાકોર પ્રતિમા, વીસી ફાટક, શક્તિ ચોક, નગર દરવાજા ચોક, શાક માર્કેટ ચોક, વસંત પ્લોટ પાંચ રસ્તા, રામચોક, જયદીપ કંપની ચોક, સુપર માર્કેટ ચોક, સરદાર પટેલ પ્રતિમા, બાપાસીતારામ ચોક-રવાપર રોડ, સ્વાગત હોલ-રવાપર ચોકડી, અવની ચોકડી, ઉમિયા સર્કલ, ભક્તિનગર સર્કલ, શક્તિ માતાજી મંદિર-સનાળાથી થઈ પટેલ સમાજ વાડી ખાતે સંપન્ન થશે. આ પોથીયાત્રાનું વિવિધ સ્થળે વિવિધ સમાજના આગેવાનો, વર્તમાન-પૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વેપારીઓ, સ્થાનિક રહેવાસીઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. અને ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે આયોજિત આ કથાનો વધુને વધુ લાભ લેવા માટે કાંતિભાઈએ મોરબી જિલ્લાના લોકોને આહ્વાન કર્યું છે