મોરબીમાં ૧૩ માસ સુધી ચાલનારા શ્રી રામનામ જપ મહાયજ્ઞનો સોમવારથી પ્રારંભ
મોરબીની શ્રી રંગપર માધ્યમિક શાળા દ્વારા ઘનશ્યામસિંહ ઝાલાનું સન્માન
SHARE
મોરબીની શ્રી રંગપર માધ્યમિક શાળા દ્વારા ઘનશ્યામસિંહ ઝાલાનું સન્માન
મોરબી તાલુકાના રંગપર ગામે આવેલ શ્રી રંગપર માધ્યમિક શાળા દ્વારા થોડા દિવસો પહેલા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો અને આ સન્માન સમારોહ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃતિઓમાં જોડાયેલા અને ખાસ કરીને રાજસ્થાનના ઉદયપુર ખાતે આવેલ નારાયણ સેવા સંસ્થાના સક્રિય કાર્યકર અને નારાયણ સેવા સંસ્થાના સૌરાષ્ટ્ર-કચ્છના પ્રમુખ એવા રંગપર ગામમા જ વતની ઘનશ્યામસિંહ સજુભા ઝાલાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.મોરબીના રંગપર ગામે આવેલ શ્રી મરવડ કેળવણી મંડળ સંચાલિત શ્રી રંગપર માધ્યમિક શાળાનો સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં સમાજસેવા કરવા બદલ શાળાના પૂર્વ વિદ્યાર્થી એવા ઘનશ્યામસિંહ સજુભા ઝાલાનું સન્માન કરવામાં આવ્યું હતું.આ તકે ગામના આગેવાન અને શ્રી મરવડ કેળવણી મંડળ રંગપરના પ્રમુખ દિલુભા ઝાલા, શાળાના આચાર્ય એન.એમ.સદાતીયા, ગામના સરપંચ મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા, બ્રહ્મઅગ્રણી એન.એન.ભટ્ટ, રાજપુત સમાજના આગેવાન જ્યોતિસિંહ જાડેજા, શિક્ષક દિનેશભાઈ વડસોલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. શાળામાં ભણી ચૂકેલા અને હાલ વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવતા લોકોને આમંત્રિત કરીને શાળા પરિવાર દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું જે દરમિયાન ઘનશ્યામસિંહ ઝાલાનું પણ સન્માન કરાયું હતું.