ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૩ માસ સુધી ચાલનારા શ્રી રામનામ જપ મહાયજ્ઞનો સોમવારથી પ્રારંભ


SHARE













મોરબીમાં ૧૩ માસ સુધી ચાલનારા શ્રી રામનામ જપ મહાયજ્ઞનો સોમવારથી પ્રારંભ

શ્રી રામધામ આશ્રમ ટ્રસ્ટ દેવળિયા સંચાલિત મોરબી મુકામે પૂજ્ય સંતશ્રી નાથાબાપા ભગતના આશીર્વાદથી તેમની નેમ પૂરી કરવા ૧૩ માસનું અનુષ્ઠાન એટલે અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનો તા.૫ સપ્ટેમ્બરથી પારંભ થશે જે મહાયજ્ઞ ૧૩ માસ સુધી ચાલશે.

જે અખંડ ધૂન નિમિતે પંચકુંડી શ્રી હનુમાનજી રુદ્રી મહાયજ્ઞ, અખંડ જ્યોત શોભાયાત્રા, શ્રી હનુમાન ચાલીસા પાઠ, ધ્વજા પૂજન, જ્ઞાનસભા, સંત સમારોહ અને સ્ટેજ પ્રોગ્રામ યોજાશે જેમાં તા.૫ ના રોજ સવારે ૫ થી ૧ વાગ્યા સુધી મહાયજ્ઞ, સવારે ૮ :૩૦ થી ૧૧: ૩૦ સુધી શોભાયાત્રા, જે રાજપર, મોરબી નરસંગ મંદિરે આરતી કરીને અખંડ રામધુન સ્થળ પર પહોંચશે બપોરે ૧૨: ૩૦ કલાકે ફળાહાર પ્રસાદ તેમજ બપોરે ૧: ૩૦ થી ૩ સુધી હનુમાન ચાલીસા પાઠ, બપોરે ૩: ૩૦ થી ૬: ૪૫ સુધી જ્ઞાનસભા, સાંજે ૬: ૪૫ કલાકથી અખંડ શ્રી રામધન પ્રારંભ થશે અને સાંજે ૭ કલાકે મહાપ્રસાદ યોજાશે જે કાર્યક્રમ ગોકુલ ફાર્મ હાઉસ એન્ડ પાર્ટી પ્લોટ, વાવડી રોડ મોરબી ખાતે યોજાશે.જે ધાર્મિક મહોત્સવમાં અધ્યક્ષસ્થાને પ.પુ.ડો. શ્રી રામેશ્વરબાપુ હરિયાણી, શ્રી ઉમિયા માતાજી મંદિર સીદસરના પ્રતિનિધિ તરીકે પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયા, પૂર્વ પ્રમુખ બી.એચ.ઘોડાસરા, હંસરાજ હાલપરા, નારણભાઇ ભાડજા, વિનુભાઈ ગોરધનભાઈ તન્ના અને રવિન્દ્રભાઈ ગીરધરલાલ જોશી સહિતના ઉપસ્થિત રહેશે.તમામ જ્ઞાતિના આગેવાનો, સમાજ શ્રેષ્થીઓ, તેમજ રાજકીય અગ્રણીઓને અખંડ જ્યોતમાં દિવેલ પૂરવા તેમજ ધર્મસભામાં સહભાગી બનવા સંત શ્રી નાથાબાપા ભગતવતી બાબુભાઈ ભીમજીભાઈ ગોપાણી, રમેશભાઇ જીવરાજભાઈ રાણીપા તેમજ તમામ પ્રતિનિધિઓ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.






Latest News