વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવ યોજાશે


SHARE











મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવ યોજાશે

મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જો કે, કોરોનાને લીધે તે બંધ હતું પરંતુ આ વર્ષે મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ઇન્ડિયન આઈડલના વિજેતા ભૂમિ ત્રિવેદી, વ્રજ ક્ષત્રિય (સારેગામાપા) અને જાણીતા ગાયક કલાકાર ઉર્વશી રાદડિયા રાસની રમઝટ બોલાવશે

મોરબીમાં કોરોનાના બે વર્ષ બાદ તા. ૨૬ સપ્ટેમ્બરના રોજ નવરાત્રી મહોત્સવ શરૂ થવાનો છે ત્યારે મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી સેવા કાર્યોમાં અગ્રેસર અજય લોરીયા દ્વારા ગાયો અને અન્ય સેવા કાર્યો માટે યોજાતો પાટીદાર નવરાત્રી મહોત્સવ આ વખતે દેશની રક્ષા કરતા શહીદ થયેલા વીર જવાનોના પરિવારના લાભાર્થે યોજાશે. આ ઉપરાંત આ વખતે ગુજરાત જ નહીં પણ ભારતના ખ્યાતનામ કલાકારો ત્યાં રમઝટ બોલાવશે જેમાં બોલીવુડ સિંગર ભૂમિ ત્રિવેદી, વ્રજ ક્ષત્રિય(સારેગમપ) અને જાણીતા ગાયક કલાકાર ઉર્વશી રાદડિયા ઉપરાંત અને નામિ કલાકારો રાસની રમઝટ બોલાવશે






Latest News