મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવ યોજાશે
SHARE
મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવ યોજાશે
મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જો કે, કોરોનાને લીધે તે બંધ હતું પરંતુ આ વર્ષે મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ઇન્ડિયન આઈડલના વિજેતા ભૂમિ ત્રિવેદી, વ્રજ ક્ષત્રિય (સારેગામાપા) અને જાણીતા ગાયક કલાકાર ઉર્વશી રાદડિયા રાસની રમઝટ બોલાવશે
મોરબીમાં કોરોનાના બે વર્ષ બાદ તા. ૨૬ સપ્ટેમ્બરના રોજ નવરાત્રી મહોત્સવ શરૂ થવાનો છે ત્યારે મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી સેવા કાર્યોમાં અગ્રેસર અજય લોરીયા દ્વારા ગાયો અને અન્ય સેવા કાર્યો માટે યોજાતો પાટીદાર નવરાત્રી મહોત્સવ આ વખતે દેશની રક્ષા કરતા શહીદ થયેલા વીર જવાનોના પરિવારના લાભાર્થે યોજાશે. આ ઉપરાંત આ વખતે ગુજરાત જ નહીં પણ ભારતના ખ્યાતનામ કલાકારો ત્યાં રમઝટ બોલાવશે જેમાં બોલીવુડ સિંગર ભૂમિ ત્રિવેદી, વ્રજ ક્ષત્રિય(સારેગમપ) અને જાણીતા ગાયક કલાકાર ઉર્વશી રાદડિયા ઉપરાંત અને નામિ કલાકારો રાસની રમઝટ બોલાવશે