ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી અને માળીયા તાલુકાના આઠ ગામોને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ


SHARE













મોરબી અને માળીયા તાલુકાના આઠ ગામોને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ

મોરબી જિલ્લામાં સતત વરસાદ પાડવાના લીધે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા હતા જેથી કરીને ઘણા ગામના ખેડૂતોને ખેતીમાં નુકશાન થયું છે ત્યારે મોરબી અને માળીયા તાલુકાના આઠ ગામોમાં પાક નિષ્ફળ ગયો છે જેથી કરીને તે ગામોને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા સમક્ષ માંગ કરવામાં આવી છે અને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે

મોરબી અને માળીયા તાલુકાના સરપંચના નેજા હેઠળ હાલમાં રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, સતત વરસાદના લીધે મોરબી અને માળીયા (મી.)ના અનેક ગામોમાં પાકને નુકશાન થયું છે જેમાં ગોર ખીજડીયા, રાજપર, કુંતાસી, બગથળા, માણેકવાડા, દેરાળા, જેપર, બિલિયા, માનસર સહિતના ગામના સરપંચ દ્વારા લેખિત રજૂઆત કરીને ચોમાસું પાક નિષ્ફળ ગયો છે માટે વહેલી તકે આ ગામોને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News