વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી અને માળીયા તાલુકાના આઠ ગામોને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ


SHARE











મોરબી અને માળીયા તાલુકાના આઠ ગામોને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ

મોરબી જિલ્લામાં સતત વરસાદ પાડવાના લીધે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા હતા જેથી કરીને ઘણા ગામના ખેડૂતોને ખેતીમાં નુકશાન થયું છે ત્યારે મોરબી અને માળીયા તાલુકાના આઠ ગામોમાં પાક નિષ્ફળ ગયો છે જેથી કરીને તે ગામોને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા સમક્ષ માંગ કરવામાં આવી છે અને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે

મોરબી અને માળીયા તાલુકાના સરપંચના નેજા હેઠળ હાલમાં રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, સતત વરસાદના લીધે મોરબી અને માળીયા (મી.)ના અનેક ગામોમાં પાકને નુકશાન થયું છે જેમાં ગોર ખીજડીયા, રાજપર, કુંતાસી, બગથળા, માણેકવાડા, દેરાળા, જેપર, બિલિયા, માનસર સહિતના ગામના સરપંચ દ્વારા લેખિત રજૂઆત કરીને ચોમાસું પાક નિષ્ફળ ગયો છે માટે વહેલી તકે આ ગામોને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News