મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવ યોજાશે
મોરબી અને માળીયા તાલુકાના આઠ ગામોને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ
SHARE
મોરબી અને માળીયા તાલુકાના આઠ ગામોને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ
મોરબી જિલ્લામાં સતત વરસાદ પાડવાના લીધે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા હતા જેથી કરીને ઘણા ગામના ખેડૂતોને ખેતીમાં નુકશાન થયું છે ત્યારે મોરબી અને માળીયા તાલુકાના આઠ ગામોમાં પાક નિષ્ફળ ગયો છે જેથી કરીને તે ગામોને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા સમક્ષ માંગ કરવામાં આવી છે અને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે
મોરબી અને માળીયા તાલુકાના સરપંચના નેજા હેઠળ હાલમાં રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, સતત વરસાદના લીધે મોરબી અને માળીયા (મી.)ના અનેક ગામોમાં પાકને નુકશાન થયું છે જેમાં ગોર ખીજડીયા, રાજપર, કુંતાસી, બગથળા, માણેકવાડા, દેરાળા, જેપર, બિલિયા, માનસર સહિતના ગામના સરપંચ દ્વારા લેખિત રજૂઆત કરીને ચોમાસું પાક નિષ્ફળ ગયો છે માટે વહેલી તકે આ ગામોને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે.