મોરબી અને માળીયા તાલુકાના આઠ ગામોને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ
મોરબીના ટિંબડીના ગણેશનગરમાં રહેતા પાંચ રાજસ્થાનીઓના મકાનમાં તસ્કરના ધામા
SHARE
મોરબીના ટિંબડીના ગણેશનગરમાં રહેતા પાંચ રાજસ્થાનીઓના મકાનમાં તસ્કરના ધામા
મોરબીના ટિંબડી ગામ પાસે આવેલ ગણેશનગરમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને એકી સાથે પાંચ બંધ મકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપેલ છે જેથી કરીને સ્થાનિક લોકોએ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
મોરબીના સિરામીક ઉદ્યોગમાં વેકેશન છે જેથી બહારથી રોજગારી માટે અહી આવેલા આને સ્થાયી થયેલા ઘણા લોકો પોતાના વતનમાં ગયેલા છે ત્યારે તેના મકાન અને દુકાનો બંધ છે દરમ્યાન તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે તેવામાં મોરબીના ટિંબડીના ગણેશનગરમાં પાંચ મકાનમાં ચોરી કરવામાં આવી છે જેની તાલુકા પોલીસને સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી અને લોકો પાસેથી મળતી માહિતી મુજબ ટ્રાન્સપોર્ટના ધંધાર્થી જીતુભાઇ, તાજારામ ચૌધરી, મહેશ ગુર્જર, બીરબલ ચૌધરી અને નરેન્દ્ર સહારન નામના પાંચ લોકોના ઘરમાં ચોરી કરવામાં આવી છે અને મકાન માલિકો હાલમાં રાજસ્થાન ગયા હોય તેને પણ ચોરીના બનાવની જાણ કરવામાં આવી છે