મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના ઈરાનને દાઉદ સાથે મિત્રતા હોય છાતીમાં છરીનો ઘા ઝીકિને બે શખ્સોએ પતાવી દીધો: ગુનો નોંધાયો


SHARE





મોરબીના જોન્સનગરમાં રહેતા ઈરાનને દાઉદ સાથે મિત્રતા હોય છાતીમાં છરીનો ઘા ઝીકિને બે શખ્સોએ પતાવી દીધો: હત્યાનો ગુનો નોંધાયો

મોરબી શહેરના જોન્સનગર વિસ્તારમાં ગઇકાલે સાંજે યુવાનને છાતીમાં છરીના ઘા માર્યા હતા જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને મોરબીથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજ્યુ છે જેથી કરીને બનાવ હત્યામાં પલટાયો હતો અને આ બનાવમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને બે શખ્સો સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને મૃતક યુવાનને કાલિકા પ્લોટમાં રહેતા દાઉદ  સાથે મિત્રતા હોય તે આરોપીઓને સારું નહિ લગતા તેની હત્યા કરી હોવાનું હાલમાં ફરિયાદમાં મૃતકના ભાઈએ લખાવ્યું છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના લાતી પ્લોટ શેરી-૧૧ પાસે આવેલ જોન્સનગર વિસ્તારમાં ગઇકાલે સાંજના સમયે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઈરાન હાજીભાઇ ખોડ (૨૫) નામના યુવાનને બે શખ્સો દ્વારા છરીના ઘા ઝીકી દેવામાં આવ્યા હતા જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે રાજકોટ ખાતે સારવાર દરમ્યાન ઇરાનનું મોત નિપજયું હતું  જેથી હત્યાના આ બનાવમાં પોલીસે મૃતક યુવાનના ભાઈ અસ્લમ હાજીભાઇ ખોડ (૨૨) રહે, સામાકાંઠે ભીમસર વાળાની ફરિયાદ લીધી છે જેમાં ફરિયાદીએ જણાવ્યુ છે કે, ગઇકાલે સાંજના સમયે જોન્સનગર વિસ્તારમાં તેનો ભાઈ ઈરાન હાજીભાઇ ખોડ (૨૫) ઊભો હતો ત્યારે બાઈક નંબર જીજે ૩૬ એબી ૨૦૨૮ લઈને ફરીદ અબ્બાસભાઈ સાયચા અને ઇમ્તિયાઝ સલિમભાઈ ભટ્ટી રહે, બંને શિવ સોસાયટી, કાલિકા પ્લોટ વાળા ત્યાં આવ્યા હતા અને તેમણે ઈરાનની સાથે ઝપાઝપી કરી હતી અને બાદમાં ગાળો આપીને ફરીદે તેની પાસે રહેલી છરી વડે હુમલો કર્યો હતો અને ઈરાનને છાતીમાં છરીનો ઘા ઝીકિ દીધો હતો જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે કઈ ગયા હતા જો કે, સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું છે વધુમાં ફરિયાદીએ જણાવ્યુ છે કે, કાલિકા પ્લોટમાં રહેતા દાઉદ પલેજા સાથે તેના ભાઈ ઈરાનને મિત્રતા હતી માટે તે અવાર નવાર તેના ઘરે કાલિકા પ્લોટમાં આવતો હતો જે આરોપી ફરીદ અબ્બાસભાઈ સાયચા અને ઇમ્તિયાઝ સલિમભાઈ ભટ્ટીને ગમતું ન હતું જે બાબતનો ખર રાખીને આરોપીઓએ છરી વડે હુમલો કર્યો હતો અને તેના ભાઈની હત્યા કરેલ છે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News