મોરબીમાં દશનામ ગોસ્વામી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે
SHARE
મોરબીમાં દશનામ ગોસ્વામી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે
મોરબી દશનામ ગોસ્વામી સમાજ મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી રવિવારે સંતો મહંતો, સમાજના આગેવાનો તેમજ સામાજીક અને રાજકીય આગેવાનોની હાજરીમાં આ કાર્યક્ર્મ યોજાશે
મોરબી દશનામ ગોસ્વામી સમાજ મંડળના પ્રમુખ ગુલાબગીરી ઘેલુંગીરી ગોસ્વામીએ જણાવ્યુ છે કે, ગોસ્વામી સમાજના કે.જી. થી કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓને સન્માનીત કરે છે આવી જ રીતે આગામી તા ૧૧-૯ ને રવિવારે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ૪ થી ૭ ગોસ્વામી સમાજની વાડી લીલાપર રોડ ખાતે આ કાર્યક્રમ યોજાશે જેમાં વિદ્યાર્થીઓને સંતો મહંતો, આગેવાનો સહિતના લોકોના હસ્તે સન્માનીત કરવામાં આવશે જેથી આ સન્માન સમારોહમાં સર્વ જ્ઞાતિ બંધુઓને સહકુટુંબ આવવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે