ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતની પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેવા રાજયમંત્રીને રજુઆત


SHARE













મોરબી સહિત ગુજરાતની પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેવા રાજયમંત્રીને રજુઆત

મોરબી સહિત ગુજરાત રાજ્યમાં આવેલ નગરપાલિકા કર્મચારી વતી મહામંડળ દ્વારા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાને રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેઓના પડતર પ્રશ્નોનો ઉકેવા માટેની પાલિકાના કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે

મોરબી નગરપાલિકા કર્મચારી મહામંડળના હોદેદારો દ્વારા રાજ્ય કર્મચારી મહામંડળની સૂચના મુજબ મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, રાજ્યની નગરપાલિકાના કર્મચારીઓના અનેક પડતર પ્રશ્નો છે તેના માટે ભૂતકાળમાં રજૂઆતો કરવામાં આવી છે જો કે, હજુ સુધી પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી જેથી કરીને કર્મચારીઓના પડતર પ્રશ્ન બાબતે સરકાર દ્વારા રચાયેલી મંત્રીઓની કમિટીમાં પાલિકા કર્મચારીઓના પ્રશ્નો રજૂ કરવા માટે મંત્રીને રજૂઆત કરી છે. જેમાં ખાસ કરીને મહેકમ ખર્ચની મર્યાદા નાબૂદ કરવામાં આવે, મહેકમ ખર્ચની ગણતરી બાબતે નામદાર સર્વોચ્ચ અદાલતના તથા નામદાર હાઇકોર્ટના ચુકાદાને અમલી બનાવવામાં આવે, મહેકમની ખાલી જગ્યાઓ ઉપર લાંબા સમયથી ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવામાં આવે, ચોથું પગાર પંચ તથા પાંચમું પગાર પંચ મેળવતી નગરપાલિકાઓમાં મોંઘવારી ભથ્થાના દરમાં વધારો કરવામાં આવે, ફરજિયાત સેવાના કર્મચારીઓનો પગાર ખર્ચ મહેકમખર્ચ મર્યાદામાંથી બાકાત રાખવામાં આવે, પગાર પંચની દરખાસ્તોમાં સરળીકરણ કરવા તથા રાજ્ય સરકાર અમલી બનાવેલ હોય તે વર્ષથી જ પગાર પંચ મજૂર થાય તે મુજબ પરિપત્ર કરવામાં આવે, ઓક્ટ્રોય ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવે, પાલિકાના કર્મચારીઓને બઢતી તથા ઉચ્ચતર પગાર ધોરણના લાભો આપવામાં આવે તથા હાલમાં અમલી નિયમોમાં સરળીકરણ કરવામાં આવે તે સહિતની રજૂઆત કરવામાં આવી છે






Latest News