મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમનો અજીબ કિસ્સો: સગી ભાભી સાથે લગ્નની જીદ બાદ યુવાને ભર્યુ અંતિમ પગલું


SHARE







મોરબીમાં પ્રેમનો અજીબ કિસ્સો: સગી ભાભી સાથે લગ્નની જીદ બાદ યુવાને ભર્યુ અંતિમ પગલું

મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા યુવાને તેના ઘેર ગળેટુંપો ખાઈ લેતા તેનું મોત નિપજયુ હતું અને મૃતદેને પીએમ માટે ખસેડાતા પોલીસે તપાસ હાથ ધરતા ચોંકાવનારી વિગત સામે આવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે મૃતક યુવાનને તેના સગા ભાભી પસંદ હોય અને તેની સાથે લગ્ન કરવા હોય પરંતુ સામાજિક રીતે આ બાબત શક્ય ન હોય માટે યુવાને અંતિમ પગલું ભરી લીધું હતું..!

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં જારીયા પાનની પાસે આવેલ રહીમભાઈના મકાનમાં રાહુલ છગનભાઈ મકવાણા જાતે નાથબાવા નામના ૨૩ વર્ષીય યુવાને ગત મોડી રાત્રિના ગળેફાસો ખાઈ લેતા તેનું મોત નિપજયુ હતું અને બનાવની જાણ થતા ડેડબોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યું હતું. બાદમાં આ અંગે પોલીસે તપાસ કરતાં ચોંકાવનારી વિગત સામે આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે, મૃતક રાહુલ મકવાણાને તેના સગા મોટાભાઈના પત્ની એટલે કે તેના સગી ભાભી સાથે પ્રેમ થઈ ગયો હોય અને તેની સાથે જ લગ્ન કરવા હતા પરંતુ સામાજિક રીતે આ શક્ય ન હોય પરિવારે આ બાબતની ના પાડી હતી અને તે વાતનું મનોમન લાગી આવતા રાહુલે ગતરાત્રિના અંતિમ પગલું ભરી લીધું હતું.બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર આગળની તપાસ ચલાવી રહ્યા છે.

આધેડ સારવારમાં

મોરબીના ગ્રીનચોક નજીકની કંસારા શેરીમાં રહેતા ચંદ્રેશભાઇ નટવરભાઈ પારેખ નામના ૫૫ વર્ષના આધેડ વિસીપરામાં આવેલ જીનના ઓટલા પાસે બેઠા હતા ત્યાં તેઓ અચાનક નીચે ઢળી પડતા ઇજાગ્રત હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે ધાંગધ્રા તાલુકાના વાઘગઢ ગામના અજયભાઇ કાનજીભાઈ લોરીયા નામના ૫૪ વર્ષીય આધેડ માલવણ-અમદાવાદ હાઈવે ઉપર બસ અને ટ્રક વચ્ચે થયેલ અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત થતા તેઓને અત્રેના સામાકાંઠે માળિયા ફાટક નજીક રામધન આશ્રમ સામે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.

સગીર સારવારમાં

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતો ધ્રુવ મેરામભાઇ ડાંગર નામનો ૧૫ વર્ષીય સગીર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેને અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો અને બનાવને પગલે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને બનાવની વધુ તપાસ માટે તેઓએ માળિયા પોલીસને જાણ કરી હતી.






Latest News