મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના નવા સાદુળકા ગામે પ્રેમ લગ્ન કરીને આવેલ યુગલ પૈકી ઝેરી દવા પી ગયેલી યુવતીનું મોત


SHARE







મોરબીના નવા સાદુળકા ગામે પ્રેમ લગ્ન કરીને આવેલ યુગલ પૈકી ઝેરી દવા પી ગયેલી યુવતીનું મોત

મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરી કરતા પરપ્રાંતિય નવયુગલ પૈકી યુવતીએ દવા પી લેતા તેણીનું મોત નીપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નવા સાદુળકા ગામે વિરજીભાઈ પટેલની વાડીએ રહીને મજૂરી કામ કરતા કિરમાબેન દિનેશભાઈ ધાનક (ઉમર ૨૨) કે જેણે સાતેક માસ પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હોય અને વતનમાંથી અહીં મોરબી કામકાજ કરી પેટીયુ રળવા માટે આવ્યા હોય તેણીઓ કપાસમાં છાંટવાની મોનોફોઝ નામની ઝેરી દવા પી લીધી હતી જેથી તેણીનું મોત નિપજયુ હતુ.આ અંગે તાલુકા પીઆઇ ગોઢાણીયા સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે મૃતક કિરમાબેને સાતેક માસ પહેલા જ પ્રેમલગ્ન કર્યા હોય અને તેઓ તેમના વતનથી અહીં મોરબી કામકાજ માટે આવ્યા હતા અને હાલમાં પરિવાર દ્વારા તેઓનો સંપર્ક કરાયો હતો અને પરિવાર તેઓને લેવા માટે મોરબી આવવાનો હતો તે દરમિયાનમાં કોઈ કારણોસર કિરમાબેને ઉપરોક્ત અંતિમ પગલું ભરી લેતા તેણીનું મોત નિપજયુ હતું.બનાવ સંદર્ભે હાલમાં પીએસઆઇ ડી.વી.ડાંગર તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદ તાલુકાના મિંયાણી ગામે રહેતા મનસુખભાઈ ડાયાભાઈ પરમાર નામના ૪૯ વર્ષીય આધેડને દેવળીયા ચોકડી પાસે વાહન અકસ્માત સર્જાતા અને ત્યાં તેમનું બાઈક સ્લીપ થઈ જવાથી ઇજાઓ થતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા.તે રીતે જ મોરબીના લીલાપર રોડ ઉપર ખડીયાવાસ વિસ્તારમાં રહેતા મોંઘીબેન નાનજીભાઈ મકવાણા નામના ૬૦ વર્ષના વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે શનાળા રોડ ભાંડિયાની વાડી રામજી મંદિર પાસે તેઓ બાઈકમાંથી નીચે પડી જતા સારવારમાં ખસેડાયા હતા અને શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો જયેશ રમેશભાઈ સોલંકી નામનો ૪૮ વર્ષનો યુવાન તેના ઘર પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે ત્યાં ઘર નજીક બાઇક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત થયેલા જયેશભાઈને સારવારમાં લઇ જવાયા હતા.






Latest News