મોરબીમાં ગટર પાસેથી ઈજાગ્રસ્ત મળેલ ભરત પટેલનું રાજકોટ ખાતે સારવારમાં મોત, બનાવ શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પીએમ કરાયું બરોબરના ભરાયા: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાંથી પત્રકારોને બહાર જવાનું કહીને જવાબ આપવો ભારે પડી જતાં મેયરે ચાલતી પકડી ! મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમા નવયુગ કોલેજ ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દીવસની ઉજવણી કરાઈ 


SHARE







મોરબીમા નવયુગ કોલેજ ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દીવસની ઉજવણી કરાઈ 

૧૦ સપ્ટેમ્બર નાં રોજ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અંતર્ગત આજરોજ નવયુગ મહિલા કોલેજ- વિરપર ખાતે જનરલ હોસ્પિટલ મોરબી દ્વારા આત્મહત્યા નિવારણ અંગે એક પ્રોગામનું આયોજન કરવામા આવ્યુ હતું.

જનરલ હોસ્પિટલ મોરબીના અધિક્ષક ડૉ. દુધરેજીયા તથા જીતેન્દ્ર મિશ્રા (એ.એચ.ઓ) નાં માર્ગદર્શન હેઠળ વિશ્વ આત્મહત્યા નિવારણ દિન નિમિત્તે નવયુગ મહિલા કોલેજ- વિરપર ખાતે પ્રોગામનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં વિધાર્થીઓને સમજ મળી રહે તે માટે લેકચર અને એક નાની પ્રશ્ન જવાબ એક્ટિવિટી નું આયોજન કરવામાં આવ્યું હતુ. નવયુગ કોલેજનાં ટ્રસ્ટી પ્રિન્સિપાલ અને ત્યાંના એચ.આર પારુલબેનનો કાર્યક્રમને સફળ બનાવામાં બહોળો ફાળો રહ્યો હતો.જનરલ હોસ્પિટલ મોરબીના માનસિક રોગ વિભાગ માં ફરજ બજાવતા દિવ્યાબેન ગોહેલ (ક્લિનિકલ સાયકોલોજિસ્ટ) અને હિતેશ પોપટાણી( સોશ્યલ વર્કર)એ કાર્યક્ર્મમાં હાજર રહીને આત્મહત્યા નિવારણ અંગેની સમજ પૂરી પાડી હતી અને સાથે વિધાર્થીઓ મન માં ઉદભવતા પ્રશ્નોનાં જવાબ આપીને મોટીવેશન પૂરું પાડવામાં આવ્યું હતુ.






Latest News