મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબીમાં આર્થિક સંકળામણથી એસિડ પી ગયેલ વૃદ્ધનું મોત


SHARE









મોરબીમાં આર્થિક સંકળામણથી એસિડ પી ગયેલ વૃદ્ધનું મોત

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા વૃદ્ધે આર્થિક સંકળામણને લઈને એસિડ પી લીધું હતું.જેથી તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધમું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા મગનભાઈ લક્ષ્મણભાઈ ધુળકોટીયા જાતે પ્રજાપતિ નામના ૬૧ વર્ષીય આધેડ બે દિવસ પહેલા એસિડ પી ગયા હતા જેથી કરીને તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.જયાં ટુંકી સારવાર બાદ ગઇકાલે સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયુ હોવાનું જાણવા મળેલ છે.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયાએ રાજકોટ જઈ તપાસ હાથ ધરતા પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે મૃતક મગનભાઈ ધૂળકોટીયાએ હોમ લોન લીધેલ હતી અને હાલ તેમને આર્થિક સંકળામણ હોય તેના લીધે લોનના હપતા ચડત થઈ ગયા હોય અને આર્થિક સંકળામણ રહેતી હોય તેને લઈને તેઓએ ઉપરોક્ત અંતિમ પગલું ભરી લેતા રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું.

મારામારીમાં ઇજા

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા કાદર મામદભાઈ રાહીજા (૪૭) અને હાજી મામદભાઈ રાહીજા (૩૫) નામના બે યુવાનોને મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળીયા પોલીસને જાણ કરવામાં આવી હતી.જ્યારે મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં દેવરાજભાઈની વાડીએ કામ દરમિયાન સાપ કરડી જવાથી સતીબેન હીરાભાઈ વાઘેલા નામના ૬૫ વર્ષીય વૃદ્ધાને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે રહેતા મૈયાબેન મૂળજીભાઈ ઉકેડીયા નામની ૨૫ વર્ષની મહિલા ગામના રામજી મંદિર પાસેથી બાઈકમાં બેસીને જતા હતા તે દરમિયાન તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઈજાઓ થવાથી તેઓને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.






Latest News