વાંકાનેરમાં મિત્રની રૂપિયાની લેતીદેતી બાબતે સ્થળ ઉપર ગયેલા યુવાનને છરીના આડેધડ ઘા ઝીકિને હત્યા
મોરબીમાં આર્થિક સંકળામણથી એસિડ પી ગયેલ વૃદ્ધનું મોત
SHARE
મોરબીમાં આર્થિક સંકળામણથી એસિડ પી ગયેલ વૃદ્ધનું મોત
મોરબીના વાવડી રોડ ઉપર રહેતા વૃદ્ધે આર્થિક સંકળામણને લઈને એસિડ પી લીધું હતું.જેથી તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધમું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે
બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા મગનભાઈ લક્ષ્મણભાઈ ધુળકોટીયા જાતે પ્રજાપતિ નામના ૬૧ વર્ષીય આધેડ બે દિવસ પહેલા એસિડ પી ગયા હતા જેથી કરીને તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.જયાં ટુંકી સારવાર બાદ ગઇકાલે સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયુ હોવાનું જાણવા મળેલ છે.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયાએ રાજકોટ જઈ તપાસ હાથ ધરતા પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે મૃતક મગનભાઈ ધૂળકોટીયાએ હોમ લોન લીધેલ હતી અને હાલ તેમને આર્થિક સંકળામણ હોય તેના લીધે લોનના હપતા ચડત થઈ ગયા હોય અને આર્થિક સંકળામણ રહેતી હોય તેને લઈને તેઓએ ઉપરોક્ત અંતિમ પગલું ભરી લેતા રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું.
મારામારીમાં ઇજા
મોરબીના માળિયા મીંયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા કાદર મામદભાઈ રાહીજા (૪૭) અને હાજી મામદભાઈ રાહીજા (૩૫) નામના બે યુવાનોને મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળીયા પોલીસને જાણ કરવામાં આવી હતી.જ્યારે મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં દેવરાજભાઈની વાડીએ કામ દરમિયાન સાપ કરડી જવાથી સતીબેન હીરાભાઈ વાઘેલા નામના ૬૫ વર્ષીય વૃદ્ધાને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે રહેતા મૈયાબેન મૂળજીભાઈ ઉકેડીયા નામની ૨૫ વર્ષની મહિલા ગામના રામજી મંદિર પાસેથી બાઈકમાં બેસીને જતા હતા તે દરમિયાન તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઈજાઓ થવાથી તેઓને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.