મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

હળવદના દિઘડીયામાં પરણીતાના ચરિત્ર ઉપર શંકા કરીને પતિ, સસરા, દિયર અને નણંદે માર માર્યો


SHARE













હળવદના દિઘડીયામાં પરણીતાના ચરિત્ર ઉપર શંકા કરીને પતિ, સસરા, દિયર અને નણંદે માર માર્યો

હળવદ તાલુકાના દિઘડીયા ગામે રહેતી પરણીતાના ચરિત્ર ઉપર પતિ, સસરા, દિયર તેમજ નણંદ દ્વારા શંકા કરીને સંતાન ન થતા હોય તે બાબતે બોલાચાલી કરવામાં આવતી હતી અને શારીરિક માનસિક ત્રાસ આપી ઢીકાપાટુ અને દોરડા વડે માર મારીને ગાળો આપતા હતા અને જાનથી મારી રાખવાની ધમકી આપતા હતા જેથી મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં પરિણીતાએ પતિ સહિત ચાર સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના દિઘડીયા ગામે રહેતા ગંગાબેન મેહુલભાઈ મુંધવા જાતે ભરવાડ (૨૧) એ તેના પતિ મેહુલભાઈ રણછોડભાઈ મુંધવા, સસરા રણછોડભાઈ રામાભાઇ મુંધવા, દિયર દિનેશભાઈ રણછોડભાઈ મુંધવા અને નણંદ રંજનબેન રણછોડભાઈ મુંધવા સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવી છે કે તેના પતિ, સસરા, દિયર અને નણંદ દ્વારા તેના ચરિત્ર ઉપર શંકા કરીને ખોટા કામ કરાવવા માટે દબાણ કરવામાં આવતું હતું અને સંતાન નહીં હોવાથી તે બાબતે બોલાચાલી કરવામાં આવતી હતી અને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા તેમજ ઢીકાપાટુ અને દોરડા વડે માર મારતા હતા અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે પતિ સહિતના સાસરીયાઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આગથી દાજી જતા છ લોકો સારવારમાં

મોરબીના રવાપર નદી ગામ પાસે કારખાનામાં આગ લાગી હતી જેના લીધે છ લોકો દાઝી ગયા હતા માટે તેને સારવારમાં ખસેડાયા છે અને આગને કાબુમાં લેવા માટે ફાયરની ટીમ પાણીનો મારો ચલાવી રહી છે.મોરબી માળિયા રોડ ઉપર આવેલ રવાપર નદી ગામ પાસે હોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં કોઈ કારણોસર આગ લાગેલ હતી. જેમા 6 લોકો દાઝી ગયેલ છે માટે તેને ૧૦૮ મારફતે સારવારમાં ખસેડાયેલ છે અને આ ઘટનામાં પવનભાઈ, નાગીનભાઈ, દેવાભાઈ, હસનભાઈ, દેવરાજભાઈ અને સીબુસિંગભાઇ દાઝ્યા હોવાનું સામે આવેલ છે અને આગ પાછળ ગેસ લીકેજનું પ્રાથમિક રીતે સામે આવેલ છે. અને આગને કાબુમાં લેવા માટે મોરબી પાલિકાના ફાયર ફાઈટર દ્વારા હાલમાં પાણીનો માળો ચલાવવામાં આવી રહ્યો છે






Latest News