મોરબીમાં ભાવિ પતિએ કામ ઉપર હોય ત્યારે ફોનમાં વાત કરવાની ના કહેતા યુવતીએ કર્યો આપઘાત
મોરબીના મકનસર ગામે ગળેફાંસો ખાઈ જતા પરણીતાનું મોત
SHARE
મોરબીના મકનસર ગામે ગળેફાંસો ખાઈ જતા પરણીતાનું મોત
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામે રહેતા પરિણીતા કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જતા તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલે ખસેડાયો હતો અને બનાવને પગલે હાલમાં તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે
મોરબી તાલુકા પોલીસ સુત્રો માંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે ભક્તિનગર વિસ્તારમાં રહેતા પૂનમબેન બેચરભાઈ દેત્રોજા નામની ૨૦ વર્ષીય પરિણીતાએ તેના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલ ખસેડવામાં આવતા તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ વીજી જેઠવા અને રાઇટર ફતેસિંહ દ્વારા બનાવની નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
મારામારીમાં ઇજા
મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ લખધીરપુર રોડ ઉપરની ઓરસન કંપનીમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવવામાં ઇજાગ્રસ્ત થયેલા નરોતમભાઈ રતનભાઇ નામના ૨૬ વર્ષે યુવાનને ૧૦૮ વડે અહીંની સિવિલ હોસ્પિટલે આજે વહેલી સવારે ૪ વાગે ખસેડવામાં આવ્યો હોવાનું તાલુકા પોલીસે જણાવેલ છે હાલ બનાવ સંદર્ભે જશપાલસિંહ તપાસ ચલાવી રહ્યા છે જ્યારે મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા જયાબેન વિનોદભાઈ વિકાણી નામની મહિલા ભૂલથી તેના ઘેર રાત્રીના એકાદ વાગે ફિનાઈલ પી જતા તેને અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.