રમેશભાઈ ઓઝાના શબ્દો ગાય અને માલધારી સમાજ વિશે દુર્ભાગ્ય પૂર્ણ: રમેશ રબારી
મોરબીમાં મોદીના જન્મદિન નિમિતે હિમોગ્લોબીન ટેસ્ટ માટે કેમ્પ યોજાશે
SHARE
મોરબીમાં મોદીના જન્મદિન નિમિતે હિમોગ્લોબીન ટેસ્ટ માટે કેમ્પ યોજાશે
મોરબીમાં આગામી તા ૧૭ સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ નિમિતે જુદાજુદા સ્થળ ઉપર મોરબી જીલ્લા ભાજપ મહિલા મોરચા તથા ડોક્ટર સેલ દ્વારા હિમોગ્લોબીન ટેસ્ટ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ માટે કટિબદ્ધ છે. ત્યારે સમગ્ર રાજ્યમાં વડાપ્રધાનના જન્મ દિવસથી સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરવામાં આવશે અને વડાપ્રધાનના દીર્ઘાયુ જીવન માટે મોરબી જીલ્લા ભાજપ મહિલા મોરચા તથા ડોક્ટર સેલના ઉપક્રમે ૧૩ વર્ષથી ૨૦ વર્ષ સુધીની દીકરીઓનું હિમોગ્લોબીન ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પટેલ કન્યા છાત્રાલય (ઇન્ચાર્જ સંગીતાબેન ભીમાણી અને ભાવેશભાઈ કણઝારીયા), ઉમા હોલ, બહુચરાજીના મંદિર સામે રવાપર (ઇન્ચાર્જ અરવિંદભાઈ વાંસદડિયા અને રમાબેન ગડારા), ઓરપેટ કન્યા છાત્રાલય ટંકારા (ઇન્ચાર્જ કિરીટભાઈ અંદરપા), વાંકાનેર સરકારી હોસ્પિટલ (ઇન્ચાર્જ પ્રજ્ઞાબા ઝાલા અને ઋષિરાજસિંહ ઝાલા) અને કન્યા છાત્રાલય સથવારા સમાજ, વૈજનાથ મહાદેવ મંદિર પાસે હળવદ (ઇન્ચાર્જ રણછોડભાઈ દલવાડી અને જશુબેન પટેલ) ઉપરોક્ત કેમ્પનો લાભ લેવા મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી રણછોડભાઈ દલવાડીએ લોકોને અનુરોધ કરેલ છે