મોરબીમાં ઘરકંકાસના લીધે પુલેથી નીચે ઝંપલાવનાર મહિલાનો ફાયરની ટીમે જીવ બચાવ્યો
SHARE
મોરબીમાં ઘરકંકાસના લીધે પુલેથી નીચે ઝંપલાવનાર મહિલાનો ફાયરની ટીમે જીવ બચાવ્યો
મોરબીના મયુર પુલ ઉપરથી આજે સવારના સમયે એક મહિલાએ મોતની છલાંગ લગાવી હતી અને નીચે મચ્છુ નદીના પાણીમાં પડી જતા લોકો દ્વારા તાત્કાલીક પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી તાત્કાલિક ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અને મહિલાને પાણીમાંથી બહાર કાઢીને તેણીનો જીવ બચાવી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવી હતી જે મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો તેની નામ અનસોયાબેન નરેશભાઇ દેગામા (૩૨) રહે. મૂળ ખખરેચી હાલ રણછોડનગર નવલખી રોડ વાળા હોવાનું સામે આવ્યું છે અને પરિવારના કોઈ કારણોસર તેને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે
યુવાનનું મોત
મોરબી તાલુકાના વાંકીયા ગામની સીમમાં પિયુષભાઈ લવજીભાઈ પટેલની વાડીએ રહીને મજૂરીકામ કરતા વિક્રમભાઈ મથુરભાઈ સંગોળ (૩૦) હાલ રહે. વાંકીયા તા.હળવદ મૂળ રહે.પીપરીયા ટાંકરવા તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ નામના યુવાનને ગત તા.૯-૯ ના રોજ છાતીમાં દુખાવા સાથે સારવાર માટે મોરબી ખસેડાયો હતો અને અહીં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો બનાવને પગલે પોલીસને નોંધ કરી બનાવની આગળની તજવીજ હાથ ધરી છે









