મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

“મોદી તેરા બાપ હૈ, હૈદરાબાદનું હનુમાનગઢ ક્યારે થઈ જશે ખબર પણ નહીં પડે”: ઓવેસીને બ્રિજરાજદાન ગઢવીનો પડકાર


SHARE















મોદી તેરા બાપ હૈ, હૈદરાબાદનું હનુમાનગઢ ક્યારે થઈ જશે ખબર પણ નહીં પડે: ઓવેસીને બ્રિજરાજદાન ગઢવીનો પડકાર

મોરબી નજીકના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે બ્રિજરાજદાન ગઢવી સહિતના કલાકારોનો લોક ડાયરો યોજાયો હતો અને ત્યારે મંચ ઉપરથી બ્રિજરાજદાન ગઢવીએ ઓવેસીને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે મોદી તેરા બાપ હૈ, હૈદરાબાદનું હનુમાનગઢ ક્યારે થઈ જશે તેની ખબર પણ નહીં પડે. તેમજ મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પણ તેઓની લાગણી વ્યક્ત કરતા કહેવામાં આવ્યું હતું કે છેલ્લા ૩૫ વર્ષથી તેઓ જાહેર જીવનમાં છે અને ક્યારેય પણ અધિકારી, સરકાર, ગુંડાઓ કે જમીનમાં કોઈપણ જાતનું સમાધાન કર્યું નથી

મોરબી નજીકના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને કોરોનાના દિવંગત આત્માઓના મોક્ષર્થે યોજાયેલ કથામાં વિશાળ સંખ્યામાં લોકો કથા શ્રવણ કરવા માટે આવતા હોય છે તેની સાથો સાથ રાત્રિ દરમિયાન લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને શનિવારે રાત્રિના સમયે બ્રિજરાજદાન ગઢવી, સાગરદાન ગઢવી અને પુનમબેન ગોંડલીયા સહિતના કલાકારોના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝા સહિત હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા

ત્યારે લોકોને ડાયરાની મોજ કરાવતા બ્રીજરાજદાન ગઢવીએ જાહેર મંચ ઉપરથી ઓવેસીને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે, મોદી હિમાલયને ચલા જાયેગા ઔર યોગી મઠ મેં ચલા જાયેગા, તબ તુમ્હે બચાને કોન આયેગા કહેનાર સાંભળી લે મોદી તેરા બાપ હૈ, હૈદરાબાદ કો હનુમાનગઢ કબ બના દેગા પતા ભી નહિ ચલેગા ત્યારે સભા મંડપમાં ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લાગ્યા હતા ત્યારબાદ હજારોની સંખ્યામાં હાજર રહેલ લોકોને સંબોધન કરતા મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે ભગવાને મારી જરૂરિયાત કરતા અનેક ઘણું વધારે આપ્યું છે ત્યારે ૩૫ વર્ષના જાહેર જીવનમાં કયારે પણ લોકોને હિતને નુકશાન કરીને અધિકારી, સરકાર, ગુંડા કે જમીનમાં કોઈપણ જાતનું સમાધાન કર્યું નથી અને હમેશા લોકહિતને સર્વોપરી રાખ્યું છે






Latest News