મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
Breaking news
Morbi Today

ચંદીગઢથી સાઇકલ લઈને ભારત ભ્રમણ કરવા નીકળેલ યુવાન આજે મોરબીમાં


SHARE













ચંદીગઢથી સાઇકલ લઈને ભારત ભ્રમણ કરવા નીકળેલ યુવાન આજે મોરબીમાં

મન હોય તો માંળવે જવાય, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. ભારતીય સંસ્કૃતિ અને વિરાસતને જાણવા ચંદીગઢ થી અમિત ત્યાગી સાઇકલ દ્વારા ભારત ભ્રમણ કરવા નીકળેલ છે. ત્યારબાદ શ્રીલંકા, બાંગ્લાદેશ થઈ ને છેલ્લે ઓસ્ટ્રેલિયા નો સાયકલ થી પ્રવાસ કરનાર છે. જેઓ આજે તા.૨૦ ને મંગળવારના રોજ મોરબીમાં મુકામ દરમિયાન, પતંજલિ યોગ સમિતિના યુવા પ્રભારી સંજયભાઈ રાજપરાને સાથે રાખી શ્રી સરસ્વતી શિશુ મંદિરની મુલાકાત લીધી હતી. જેમાં વ્યવસ્થાપક જયંતિભાઈ રાજકોટિયા, મહેશભાઈ જાની, નિયામક સુનિલભાઈ પરમાર સાથે મુલાકાત કરી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી અને શાળાના પરિસરને નિહાળ્યું હતું. જેમાં તેમણે ભારત માતા મંદિર, ૫૨ શક્તિપીઠ, યજ્ઞશાળા, ગૌશાળા તેમજ ઔષધીય વૃક્ષો નિહાળી શાળામાં ચાલતી વૈદિક અને વ્યક્તિ વિકાસલક્ષી પ્રવૃત્તિને બિરદાવી હતી. ત્યારબાદ તેઓ દયાનંદ સરસ્વતી જન્મભૂમિ, ટંકારા જવા માટે પ્રયાણ કરેલ હતું અને દયાનંદ સરસ્વતી જન્મભુમિ સ્મારકના દર્શન કરી રાત્રી રોકાણ ટંકારા કરનાર છે.






Latest News