વડાપ્રધાન નરેંદ્ર મોદીએ સિટી બ્યુટીફીકેશન માટે કરેલ ટકોરને મોરબીમાં ભાજપ લોકહિત માટે ધ્યાને લેશે ?
ચંદીગઢથી સાઇકલ લઈને ભારત ભ્રમણ કરવા નીકળેલ યુવાન આજે મોરબીમાં
SHARE
ચંદીગઢથી સાઇકલ લઈને ભારત ભ્રમણ કરવા નીકળેલ યુવાન આજે મોરબીમાં
મન હોય તો માંળવે જવાય, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. ભારતીય સંસ્કૃતિ અને વિરાસતને જાણવા ચંદીગઢ થી અમિત ત્યાગી સાઇકલ દ્વારા ભારત ભ્રમણ કરવા નીકળેલ છે. ત્યારબાદ શ્રીલંકા, બાંગ્લાદેશ થઈ ને છેલ્લે ઓસ્ટ્રેલિયા નો સાયકલ થી પ્રવાસ કરનાર છે. જેઓ આજે તા.૨૦ ને મંગળવારના રોજ મોરબીમાં મુકામ દરમિયાન, પતંજલિ યોગ સમિતિના યુવા પ્રભારી સંજયભાઈ રાજપરાને સાથે રાખી શ્રી સરસ્વતી શિશુ મંદિરની મુલાકાત લીધી હતી. જેમાં વ્યવસ્થાપક જયંતિભાઈ રાજકોટિયા, મહેશભાઈ જાની, નિયામક સુનિલભાઈ પરમાર સાથે મુલાકાત કરી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી અને શાળાના પરિસરને નિહાળ્યું હતું. જેમાં તેમણે ભારત માતા મંદિર, ૫૨ શક્તિપીઠ, યજ્ઞશાળા, ગૌશાળા તેમજ ઔષધીય વૃક્ષો નિહાળી શાળામાં ચાલતી વૈદિક અને વ્યક્તિ વિકાસલક્ષી પ્રવૃત્તિને બિરદાવી હતી. ત્યારબાદ તેઓ દયાનંદ સરસ્વતી જન્મભૂમિ, ટંકારા જવા માટે પ્રયાણ કરેલ હતું અને દયાનંદ સરસ્વતી જન્મભુમિ સ્મારકના દર્શન કરી રાત્રી રોકાણ ટંકારા કરનાર છે.