ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ
Breaking news
Morbi Today

મોરબીમાં પરજીયા રાજગોર બ્રહ્મસમાજનો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે


SHARE













મોરબીમાં પરજીયા રાજગોર બ્રહ્મસમાજનો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબીમાં પરજીયા રાજગોર બ્રહ્મસમાજ દ્વારા આગામી તા. ૨૪/૯ ને શનિવારના રોજ સાંજે ૬:૦૦ કલાકે નવલખી ફાટક પાસે આવેલ પરશુરામ ધામ ખાતે સરસ્વતી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે 

આ કાર્યક્રમમાં પરજીયા રાજગોર બ્રહ્મસમાજના ધોરણ ૧ થી  અનુસ્નાતક કક્ષા તેમજ વિવિધ ક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કરનાર સમાજના વિદ્યાર્થીઓ અને પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કાર, સન્માન તેમજ સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવશે. આ ભવ્ય આયોજનમાં સાથે રાસ-ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ તકે રણછોડ નગરમાં આવેલ સાંઈબાબા મંદિરમાના મહંત બબા મહારાજ(ગોવિંદભાઈ), પરશુરામ ધામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા તથા સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ ટ્રસ્ટ પૂર્વ  પ્રમુખ ડો.અનિલભાઈ મહેતા તથા પરજીયા રાજગોર બ્રહ્મસમાજના વડીલો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં જ્ઞાતિજનોને પધારવા પરજીયા રાજગોર બ્રહ્મસમાજના પ્રમુખ યાજ્ઞિકભાઈ દિલીપભાઈ ગામોટ, ઉપપ્રમુખ હિતેષભાઈ મનહરલાલ પંડ્યા, વસંતભાઈ દેવાભાઈ સુમડ, મહામંત્રી અરવિંદભાઈ દેવેન્દ્રપ્રસાદ પંડ્યા તેમજ ખજાનચી સિધ્ધાર્થભાઈ ભગવાનજી ચાઉં દ્રારા આમંત્રણ પાઠવયું છે.






Latest News