ચંદીગઢથી સાઇકલ લઈને ભારત ભ્રમણ કરવા નીકળેલ યુવાન આજે મોરબીમાં
મોરબીમાં પરજીયા રાજગોર બ્રહ્મસમાજનો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે
SHARE
મોરબીમાં પરજીયા રાજગોર બ્રહ્મસમાજનો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે
મોરબીમાં પરજીયા રાજગોર બ્રહ્મસમાજ દ્વારા આગામી તા. ૨૪/૯ ને શનિવારના રોજ સાંજે ૬:૦૦ કલાકે નવલખી ફાટક પાસે આવેલ પરશુરામ ધામ ખાતે સરસ્વતી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
આ કાર્યક્રમમાં પરજીયા રાજગોર બ્રહ્મસમાજના ધોરણ ૧ થી અનુસ્નાતક કક્ષા તેમજ વિવિધ ક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કરનાર સમાજના વિદ્યાર્થીઓ અને પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કાર, સન્માન તેમજ સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવશે. આ ભવ્ય આયોજનમાં સાથે રાસ-ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ તકે રણછોડ નગરમાં આવેલ સાંઈબાબા મંદિરમાના મહંત બબા મહારાજ(ગોવિંદભાઈ), પરશુરામ ધામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા તથા સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ ટ્રસ્ટ પૂર્વ પ્રમુખ ડો.અનિલભાઈ મહેતા તથા પરજીયા રાજગોર બ્રહ્મસમાજના વડીલો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં જ્ઞાતિજનોને પધારવા પરજીયા રાજગોર બ્રહ્મસમાજના પ્રમુખ યાજ્ઞિકભાઈ દિલીપભાઈ ગામોટ, ઉપપ્રમુખ હિતેષભાઈ મનહરલાલ પંડ્યા, વસંતભાઈ દેવાભાઈ સુમડ, મહામંત્રી અરવિંદભાઈ દેવેન્દ્રપ્રસાદ પંડ્યા તેમજ ખજાનચી સિધ્ધાર્થભાઈ ભગવાનજી ચાઉં દ્રારા આમંત્રણ પાઠવયું છે.