મોરબીમાં પરજીયા રાજગોર બ્રહ્મસમાજનો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે
લોકશાહીનું ચીરહરણ: મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના આગમન પહેલા કોંગ્રેસ અને કિસાન સંઘના આગેવાનો નજર કેદ
SHARE
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં આજે મોરબીમાં રોડ શો યોજવાનો છે અને તેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ પ્રદેશ ભાજપના અધ્યક્ષ પણ હાજર રહેવાના છે ત્યારે મોરબીમાં રૂડું રૂડું દેખાય તે માટે થઈને મોરબીના સનાળા રોડ સહિતના મુખ્ય વિસ્તારને દબાણ મુક્ત, ટ્રાફિક મુક્ત, ઢોરની સમસ્યા મુક્ત અને ગંદકી મુક્ત કરી આપવામાં આવ્યા છે આવી વ્યવસ્થા મોરબીમાં આડા દિવસે જોવા નથી મળતી તે હકીકત છે તેની સાથોસાથ જો બીજી વાત કરીએ તો એક બાજુ ભારતને લોકશાહી દેશ કહેવામાં આવે છે અને લોકશાહીમાં કોઈપણ વ્યક્તિ પોતાની વાત રજૂ કરી શકે, પોતાની લાગણી રજૂ કરી શકે અને પોતાને કોઈ પણ બાબતનો વિરોધ હોય તો વિરોધ વ્યક્ત કરી શકે તેવી મોકળાશ હોવી જોઈએ પરંતુ આજે સાંજના સમયે મોરબીમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં જે રોડ શો યોજાવાનો છે ત્યાર પહેલા પોલીસ વિભાગ દ્વારા હાલમાં કોંગ્રેસના આગેવાનો તથા કિસાન સંઘના આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા છે એટલે કે કોંગ્રેસના આગેવાનો કે કિસાન સંઘના આગેવાનો પ્રજા વતી કે ખેડૂતો વતી પોતાની લાગણી કે પોતાની વાત પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી રજૂ કરવા ન જઈ શકે આવી વ્યવસ્થા હાલમાં મોરબીમાં ઊભી કરવામાં આવી છે જેથી કરીને ક્યાંકને ક્યાંક ભાજપમાં અંદરખાને પ્રજાનો, પ્રજાના પ્રતિનિધિનો તેમજ કિસાન સંઘના આગેવાનોનો ડર હોય તેવું દેખાઈ રહ્યું છે