ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

પ્રમાણિકતા: મોરબીમાં રીક્ષા ચાલકોને મળેલ બે ટેબલેટ ભરેલ થેલો મૂળ માલિકને પરત કર્યો


SHARE













પ્રમાણિકતા: મોરબીમાં રીક્ષા ચાલકોને મળેલ બે ટેબલેટ ભરેલ થેલો મૂળ માલિકને પરત કર્યો

આજના સમયમાં જ્યાં જુઓ ત્યાં કોઈનું લઈ લેવાની વૃતિ વિશેષ જોવા મળે છે અને કળિયુગની આપણને પ્રતીતિ થાય તેવા બનાવો છાસવારે નજરે પડે છે જે દરમિયાન આજે પણ પ્રમાણિકતા અસ્તિત્વમાં છે અને પ્રમાણિક લોકો પણ છે તેની પ્રતીતિ કરતા બનાવો સમયાંતરે સામે આવતા હોય છે તે મુજબ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે રીક્ષા સ્ટેન્ડ પાસે ત્રણ રિક્ષા ચાલકોને બે ટેબલેટ સહિત જરૂરી દસ્તાવેજ ભરેલ બેગ મળ્યો હતો જે બેગ તેઓએ પોલીસ સ્ટેશનને લાવી મૂળ માલિકને સોંપી તેને સુપ્રત કર્યો હતો

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે રીક્ષા સ્ટેન્ડ પાસે હરેશભાઈ રાજાભાઈ પરમાર (ઇન્દિરાનગર), વિનોદભાઈ વાલજીભાઈ મકવાણા (હાઉસિંગ બોર્ડ પાસે) અને ફિરોજભાઈ અબ્દુલભાઈ સૈયદ (ઇન્દિરાનગર) નામના ત્રણ રિક્ષા ચાલકો ઊભા હતા ત્યારે બાઈકમાં જતા એક યુવાનનો બેગ તેના બાઈકમાંથી નીચે પડી ગયો હતો જેથી ત્રણેય રીક્ષા ચાલકોએ તે બેગ ઉઠાવવી બાજુમાં આવેલા બી ડિવિઝન પોલીસ સ્ટેશનને લઈ ગયા હતા અને ત્યાં બી ડિવિઝન પોલીસ મથકના રાજુભાઈ ડાંગર કે, જે પી.એસ.ઑ તરીકે ફરજમાં હાજર હોય તેઓને સોંપ્યો હતો ત્યારે રાજુભાઈ ડાંગર અને ત્રણેય રિક્ષાચાલકોએ બેગને ખોલીને જોતા તેમાં બે ટેબલેટ તેમજ અન્ય જરૂરી બીજા બેંકને લગતા દસ્તાવેજ મળ્યા હતા જેમાં મળેલી ડાયરી આધારે તેમાં રહેલા સરનામા અને ફોન નંબર ઉપર સંપર્ક કરતા બેગના માલિક ખેંગારભાઈ પ્રેમજીભાઈ વાઘેલા રહે. સિદ્ધાર્થ સોસાયટી જીકે હોટલ પાછળ વાળાનો સંપર્ક થયો હતો કે જેઓ આઈસીઆઈસીઆઈ બેન્કમાં કામ કરતાં હોય અને મહેન્દ્રનગર ચોકડી પાસે તેઓનો બેગ બાઇકમાંથી પડી ગયો હતો જેથી તેમણે બોલાવીને ખાતરી કરીને પોલીસની હાજરીમાં બેગ માલિકને તેનો બેગ સોંપી આપવામાં આવ્યો હતો. રીક્ષા ચાલકોની પ્રમાણિકતા બદલ તેમજ મદદ કરવા બદલ પોલીસ સ્ટાફનો બેગના મૂળ માલિક ખેંગારભાઈ વાઘેલાએ આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News