મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબી: એક એવો મેળો જયાં પરણિત દંપતી સાત જન્મ એક થવા માટે કરે છે ફરી લગ્ન


SHARE











મોરબી: એક એવો મેળો જયાં પરણિત દંપતી સાત જન્મ એક થવા માટે કરે છે ફરી લગ્ન

મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં આવતા હડમતીયા ગામે પાલણપીરની જગ્યાએ મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી મેઘવાડ  સમાજના લોકો આવતા હોય છે અને મેળાના છેલ્લા દિવસે લગ્ન થેયલા દંપતીના ફરીથી લગ્ન કરાવવામાં આવે છે અને તેના લીધે આ મેળો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે

ટંકારા તાલુકામાં આવતા હડમતીયા ગામે પાલણપીરનો મેળો ભરાય છે અને પાલણપીર નામના આ સિદ્ધ સંત પોતાની વેદવાણીથી પ્રસિદ્ધિ પામ્‍યા છે. અને તેમણે બારમતી સંપ્રદાય’ ની સ્‍થાપના કરી હતી અને પંદર લાખ જેટલા વેદોનું કથન કર્યું છે. આ વેદવાણી-ભવિષ્‍યમાં સમાજને ઉપકારક સાબિત થઇ છે અહિયાં દર વર્ષે ભાદરવા માહિનામાં નોમ, દસમ અને અગિયારસનો મેળો ભરાઈ છે જેમાં દૂર દૂરથી સમાજના લોકો આવે છે અને ત્યાં કપુરીયા કુંડમાં સ્‍નાન કરી જાણ્‍યે-અજાણ્‍યે પોતાનાથી થયેલા પાપમાંથી લોકો મુકિત મેળવે છે. ત્‍યાર પછી બધા લોકો સરગ પાવડીએ જાય છે. અને ત્‍યાં પોતાના ગુરૂ પાસે મુકિતનો માર્ગ માગે છે. અને અગીયારસના દિવસે લોકો ઢોલ-નગારા સાથે એક વખત જે લોકોના લગ્ન થયા હોય તે જ દંપતિ ફરી પાછા અહી લગ્ન કરી છે અને અહિયાં લગ્ન કરવાથી સાત જન્મ સુધી દંપતી એક થઈ જાય છે તેવી માન્યતા હોવાથી દંપતી અહી મેળામાં આવે છે અને લગ્ન પણ કરે છે






Latest News