હળવદ નજીક નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા 10 પૈકી બે યુવાન ડૂબી જતા શોધખોળ શરૂ કમોસની વરસાદ: મોરબી જિલ્લામાં ધૂળ-કોલસીની ડમરી તેમજ પતરા અને હોર્ડિંગ બોર્ડ ઉડ્યા, ખેડૂતો-અગરિયાઓને મોટું નુકસાન મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત મોરબીમાં સિરામિકના કારખાના બંધ હોય એસપી મુકેશ પટેલે ઉદ્યોગકારોને કર્યા મહત્વપૂર્ણ સૂચનો
Breaking news
Morbi Today

મોરબીમાં આજે જૈન જાગૃતિ લેડીઝ વિંગ અને કાલે વૃંદાવન દાંડિયા દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન


SHARE













મોરબીમાં આજે જૈન જાગૃતિ લેડીઝ વિંગ અને કાલે વૃંદાવન દાંડિયા દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન

મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ દ્વારા તા ૨૪ સપ્ટેમ્બરના રોજ બપોરે ૩ કલાકથી નવા ડેલા રોડ પર આવેલી વિશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી ખાતે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે વૃંદાવન દાંડિયા દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં દર વર્ષે જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ દ્વારા સમસ્ત જૈન સમાજના બહેનો માટે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આશિષભાઈ મણિયારનાસુરે મહિલાઓ સહિતના રસની રમઝટ બોલાવશે. અને આ તકે સહભાગી થનાર ખેલૈયાઓને સોના ચાંદીના ઇનામો પણ આપવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે

તો વૃંદાવન દાંડિયા કલાસિસ વાળા અમીષબેન રાંચ્છ અને રાહુલભાઈ કાવડિયા દ્વારા તા ૨૫ ના રોજ  રાતે આઠ કલાકથી લીલપર કેનાલ રોડ ઉપર કેશવ પાર્ટી પ્લોટ ખાતે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચોફ ગેસ્ટ તરીકે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહેવાના છે

ગૌશાળાના લાભાર્થે

મોરબીના નાની વાવડી ગામે આવેલ માધવ અંધ-અપંગ ગૌશાળાના લાભાર્થે તા ૨૪ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૯:૩૦ કલાકેથી દેવ ફન વર્લ્ડની બાજુમાં વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઈલાબેન મકવાણા, રવિરાજ ગજ્જર, ધારા ગોહિલ સહિતના સૂર રેલવશે અને ખેલૈયાઓ રમઝટ બોલાવશે આ આયોજનને સફળ બનાવવા ગામના યુવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે અને આ કાર્યક્રમમાં એન્ટ્રી પાસ આધારે જ પ્રવેશ આપવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે




Latest News