મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં આજે જૈન જાગૃતિ લેડીઝ વિંગ અને કાલે વૃંદાવન દાંડિયા દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન


SHARE







મોરબીમાં આજે જૈન જાગૃતિ લેડીઝ વિંગ અને કાલે વૃંદાવન દાંડિયા દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન

મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ દ્વારા તા ૨૪ સપ્ટેમ્બરના રોજ બપોરે ૩ કલાકથી નવા ડેલા રોડ પર આવેલી વિશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી ખાતે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે વૃંદાવન દાંડિયા દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં દર વર્ષે જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ દ્વારા સમસ્ત જૈન સમાજના બહેનો માટે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આશિષભાઈ મણિયારનાસુરે મહિલાઓ સહિતના રસની રમઝટ બોલાવશે. અને આ તકે સહભાગી થનાર ખેલૈયાઓને સોના ચાંદીના ઇનામો પણ આપવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે

તો વૃંદાવન દાંડિયા કલાસિસ વાળા અમીષબેન રાંચ્છ અને રાહુલભાઈ કાવડિયા દ્વારા તા ૨૫ ના રોજ  રાતે આઠ કલાકથી લીલપર કેનાલ રોડ ઉપર કેશવ પાર્ટી પ્લોટ ખાતે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચોફ ગેસ્ટ તરીકે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહેવાના છે

ગૌશાળાના લાભાર્થે

મોરબીના નાની વાવડી ગામે આવેલ માધવ અંધ-અપંગ ગૌશાળાના લાભાર્થે તા ૨૪ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૯:૩૦ કલાકેથી દેવ ફન વર્લ્ડની બાજુમાં વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઈલાબેન મકવાણા, રવિરાજ ગજ્જર, ધારા ગોહિલ સહિતના સૂર રેલવશે અને ખેલૈયાઓ રમઝટ બોલાવશે આ આયોજનને સફળ બનાવવા ગામના યુવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે અને આ કાર્યક્રમમાં એન્ટ્રી પાસ આધારે જ પ્રવેશ આપવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે






Latest News