મોરબીમાં જુદા જુદા ત્રણ બનાવમાં ગાય-ખુંટીયાની હેડફેટે પાંચ લોકો સારવારમાં
મોરબીના બંધુનગર ગામે શનિવારે ધાર્મિક, સામાજીક તેમજ કોમેડી નાટક યોજાશે
SHARE
મોરબીના બંધુનગર ગામે શનિવારે ધાર્મિક, સામાજીક તેમજ કોમેડી નાટક યોજાશે
મોરબી તાલુકાના બંધુનગર ગામે બહુચર યુવક મંડળ દ્વારા નાટકના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. શ્રી બહુચર યુવક મંડળ બંધુનગર તથા બંધુનગર ગામના સૌજન્યથી ધર્માદાના લાભાર્થે આગામી તા.૧-૧૦ ને શનિવાર એટલે કે છઠ્ઠા નોરતાના દિવસે જુદાજુદા સામાજિક અને ઐતિહાસિક નાટકો યોજવામાં આવેલા છે જેમાં 'પાવાનું પતન એટલે કે જય મહાકાળી' તેમજ અન્ય સામાજિક નાટક 'ખોરડાની ખાનદાની' સાથે પેટ પકડીને હસાવતું કોમેડી નાટક 'ગંગારામનો ગોટાળો' નું આયોજન કરવામાં આવેલું છે.આગામી તા.૧-૧૦ ને શનિવારે રાત્રિના ૯:૩૦ કલાકે બંધુનગર ગામના રામજી મંદિરના ચોકમાં આ નાટક યોજાવાના હોય અહીંના શ્રી બહુચર યુવક મંડળ દ્વારા સર્વે ધર્મ પ્રેમી ભાઈ બહેનોને નાટક જોવા અને ધર્માદાના કામમાં સહયોગ કરવા માટે અપીલ કરવામાં આવેલ છે









