મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં જાગા સ્વામી મિત્ર મંડળ-સમસ્ત મોચી સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE















મોરબીમાં જાગા સ્વામી મિત્ર મંડળ-સમસ્ત મોચી સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં કે.જી. થી લઈને ધો. ૧૨ સુધીમાં ૬૦ ટકાથી વધુ માર્ક મેળવનારા પ્રથમ ત્રણ વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મોરબી ઈલાબેન ગોહિલ, નંદલાલભાઈ પરમાર, ઈશ્વરભાઈ રાઠોડ, નાથાભાઈ ઝાલા, મનુભાઈ ચૌહાણ, પ્રભાબેન ચૌહાણ, પ્રેમજીભાઈ રાઠોડ, કાંતિભાઈ રાઠોડ, છબિલભાઈ ઝાલા સહિતના અધિકારી અને આગેવાનો હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને અધિકારીઓએ સહિતનાએ માર્ગદર્શન આપ્યું હતું આ સમારોહમાં મોચી સમાજના ૧૮૩ જેટલા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ ઉચ્ચ ડિગ્રી મેળવેલ ડો. હાર્દિક પ્રવિણભાઈ ચુડાસમા તથા ચિરાગ મુકેશભાઈ ચૌહાણને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સફળ સંચાલન અવનીબેન વાઢેર દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવા માટે જાગા સ્વામિ મિત્ર મંડળના પ્રમુખ ઈશ્વરભાઈ રાઠોડ સહિતની ટીમે દાતાઓ સહિતનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News