મોરબીના બંધુનગર ગામે શનિવારે ધાર્મિક, સામાજીક તેમજ કોમેડી નાટક યોજાશે
મોરબીમાં જાગા સ્વામી મિત્ર મંડળ-સમસ્ત મોચી સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
SHARE
મોરબીમાં જાગા સ્વામી મિત્ર મંડળ-સમસ્ત મોચી સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
મોરબીમાં જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં કે.જી. થી લઈને ધો. ૧૨ સુધીમાં ૬૦ ટકાથી વધુ માર્ક મેળવનારા પ્રથમ ત્રણ વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મોરબી ઈલાબેન ગોહિલ, નંદલાલભાઈ પરમાર, ઈશ્વરભાઈ રાઠોડ, નાથાભાઈ ઝાલા, મનુભાઈ ચૌહાણ, પ્રભાબેન ચૌહાણ, પ્રેમજીભાઈ રાઠોડ, કાંતિભાઈ રાઠોડ, છબિલભાઈ ઝાલા સહિતના અધિકારી અને આગેવાનો હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને અધિકારીઓએ સહિતનાએ માર્ગદર્શન આપ્યું હતું આ સમારોહમાં મોચી સમાજના ૧૮૩ જેટલા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ ઉચ્ચ ડિગ્રી મેળવેલ ડો. હાર્દિક પ્રવિણભાઈ ચુડાસમા તથા ચિરાગ મુકેશભાઈ ચૌહાણને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સફળ સંચાલન અવનીબેન વાઢેર દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવા માટે જાગા સ્વામિ મિત્ર મંડળના પ્રમુખ ઈશ્વરભાઈ રાઠોડ સહિતની ટીમે દાતાઓ સહિતનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો