ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં દશેરાના દિવસે ભૂદેવો કરશે શસ્ત્ર અને શાસ્ત્રનું પુજન


SHARE













મોરબીમાં દશેરાના દિવસે ભૂદેવો કરશે શસ્ત્ર અને શાસ્ત્રનું પુજન

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ અને મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આગામી દશેરાના દિવસે શસ્ત્ર અને શાસ્ત્ર પુજનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભૂદેવોને હાજર રહેવા માટે આયોજકોએ જણાવ્યુ છે

મોરબી સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમૂલભાઇ જોષી અને પરશુરામ યુવા ગૃપના પ્રમુખ રોહિતભાઈ પંડ્યા તથા મહામંત્રી ધ્વનિતભાઈ દવે તેમજ કમલભાઈ દવેએ જણાવ્યુ છે કે, આગામી દશેરાનાં દિવસે તા. ૫-૧૦ ને બુધવારનાં રોજ સમય સવારે ૧૧ કલાકે મોરબીના વઘાપરામાં આવેલ ગાયત્રી મંદિર ખાતે શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્રનું પુજન કરાવામાં આવશે જેથી તમામ ભૂદેવોએ બહોળી સંખ્યામાં શસ્ત્ર અને શાસ્ત્ર પુજનમાં હાજરી આપવામાં આયોજકોએ જણાવ્યુ છે






Latest News