મોરબીમાં ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ: હથિયારનું જાહેરનામું પ્રસિધ્ધ
મોરબીમાં દશેરાના દિવસે ભૂદેવો કરશે શસ્ત્ર અને શાસ્ત્રનું પુજન
SHARE
મોરબીમાં દશેરાના દિવસે ભૂદેવો કરશે શસ્ત્ર અને શાસ્ત્રનું પુજન
મોરબી સમસ્ત બ્રહ્મસમાજ અને મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આગામી દશેરાના દિવસે શસ્ત્ર અને શાસ્ત્ર પુજનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભૂદેવોને હાજર રહેવા માટે આયોજકોએ જણાવ્યુ છે
મોરબી સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમૂલભાઇ જોષી અને પરશુરામ યુવા ગૃપના પ્રમુખ રોહિતભાઈ પંડ્યા તથા મહામંત્રી ધ્વનિતભાઈ દવે તેમજ કમલભાઈ દવેએ જણાવ્યુ છે કે, આગામી દશેરાનાં દિવસે તા. ૫-૧૦ ને બુધવારનાં રોજ સમય સવારે ૧૧ કલાકે મોરબીના વઘાપરામાં આવેલ ગાયત્રી મંદિર ખાતે શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્રનું પુજન કરાવામાં આવશે જેથી તમામ ભૂદેવોએ બહોળી સંખ્યામાં શસ્ત્ર અને શાસ્ત્ર પુજનમાં હાજરી આપવામાં આયોજકોએ જણાવ્યુ છે









