મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭મી ઓક્ટોબરના યોજાશે
મોરબી જેતપર રોડ રસ્તાના પ્રશ્નને રવિવારે બાઇક રેલી
SHARE
મોરબી જેતપર રોડ રસ્તાના પ્રશ્નને રવિવારે બાઇક રેલી
મોરબીમાં મહાત્મા ગાંધી જયંતિના દિવસે પ્રજાને પરેશાન કરતા પીપળી જેતપર રોડ રસ્તાના પ્રશ્નને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેવું મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે જણાવ્યુ હતું
મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા તા. ૨/૧૦ ને રવિવારના ગાંધી જયંતિના દિવસે પીપળી રોડે બાઇક રેલીનુ આયોજન કરેલ છે મોરબીથી ઘાટીલા જેતપર રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે આ ખરાબ રોડ રસ્તાને કારણે અવાર નવરા ટ્રાફિક જામ અને અકસ્માત થાય છે જેના કારણે લોકોને પારાવાર પરેશાની ભોગવી પડે છે અને અકસ્માતના કારણે ઘણા લોકોના મૃત્યુ પણ થયેલ છે ત્યારે આ બિસ્માર રોડ રસ્તાને તાત્કાલિક રિપેર કરવા અને નવા બનાવવામાં આવે તે માટે હાલની બહેરી, મુગી અને અંધ સરકારને જગાડવા માટે રામઘન આશ્રમ મહેન્દ્રનગર ગામે પ્રાર્થના સભા કરી બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને આ રેલી પીપળી, રંગપર, બેલા, સાપર, જસમતગઢ, જેતપર, અણીયારી, ખાખરેચી , વેજલપર અને ઘાટીલા ગામે રેલીને પૂરી કરવામાં આવશે આ રેલીમાં કોંગ્રેસ પક્ષના મોરબી જિલ્લા, શહેર અને તાલુકાના આગેવાનો, કાર્યકરો અને દરેક ફ્ન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના હોદ્દેદાર કાર્યકરો જોડાશે તેવું જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે જણાવ્યુ છે