મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)માં વેચાતી આપેલ ક્ળબના બાકી રહેલા રૂપિયાની માંગણી કરતાં વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી


SHARE











માળીયા (મી)માં વેચાતી આપેલ ક્ળબના બાકી રહેલા રૂપિયાની માંગણી કરતાં વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી

માળીયા મીયાણાના વીર વિદરકા ગામે આવેલ માતાજીના મંદિર પાસે અગાઉ વેચેલ કળબના પૈસાની વૃદ્ધે માંગણી કરી હતી જેથી કરીને ઉશ્કેરાઈ ગયેલા શખ્સ દ્વારા તેઓને ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ બે શખ્સોએ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેણે હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના પંચવટી (ખીરઈ) ગામના રહેવાસી ભુદરભાઈ કાનજીભાઈ સુરાણી જાતે પટેલ (ઉંમર ૬૦) એ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજુભાઈ મલાભાઇ ભરવાડ તથા ઘોઘાભાઈ મલાભાઇ ભરવાડ રહે બંને વીરવિદરકા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓએ અગાઉ રાજુભાઈ ભરવાડને વેચાતી કળબ આપી હતી જેના પૈસા લેવાના બાકી હોય પૈસાની માંગણી તેઓએ કરી હતી જે રાજુભાઈ ભરવાડને સારું નહીં લાગતા રાજુભાઈ ભરવાડ તથા ઘોઘાભાઈ ભરવાડ દ્વારા તેને ગાળો આપવામાં આવી હતી જેથી કરીને ભુદરભાઈએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા રાજુભાઈ ભરવાડે તેના હાથમાં પહેરેલ કળું ફરિયાદી વૃદ્ધને માથામાં માર્યું હતું અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ ભૂદરભાઈ કાનજીભાઈ સુરાણીએ રાજુભાઈ ભરવાડ અને ઘોઘાભાઈ ભરવાડ સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News