ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના કોઠારીયા પાસે ઓવરટેક કરવા જતાં ઇકો કારના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE













વાંકાનેરના કોઠારીયા પાસે ઓવરટેક કરવા જતાં ઇકો કારના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ પાસેથી પસાર થતા બાઈકનો ઓવરટેક કરવા જતા ઈકો કારના ચાલકે બાઇકને પાછળથી ઠોકર મારી હતી જેથી બાઈ સવાર યુવાનને અકસ્માતના આ બનાવવામાં માથામાં ગંભીર થયો હોવાથી રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું હાલમાં મૃતક યુવાનના ભાઈએ અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ઇકો ગાડી લઈને નાસી છૂટેલા વાહન ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 

બનાવવાની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતા રમેશભાઈ સવજીભાઈ સારલા જાતે કોળી (ઉમર ૫૦) એ હાલમાં કોઠારીયા ગામે રહેતા ભાવેશભાઈ રમેશભાઈ કોળીની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગત તા. ૩૦/૯ ના  સાંજના સાડા સાત થી આઠ વાગ્યાના અરસામાં તેનો ભાઈ ભીમજીભાઈ સવજીભાઈ સારલા (ઉંમર ૪૫) તેનું બાઇક નંબર જીજે ૩૬ એઇ ૦૭૭૮ લઈને કોઠારીયા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકનો ઓવરટેક કરવા જતાં ઇકો કાર નંબર જીજે ૩૬ એસી ૬૦૯૧ ના ચાલક ભાવેશભાઈ રમેશભાઈ કોળીએ બાઈકને પાછળથી ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ભીમજીભાઈ સવજીભાઈ સારલાને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજ્યું હતું આ બનાવવામાં મૃતકના ભાઈ રમેશભાઈ સારલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી જે તે સમયે નાસી છૂટેલા ઇકો કારના ચાલકને પકડવા માટે તજવી શરૂ કરી છે






Latest News