ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની રિસામણે જતાં રવાપર ગામે યુવાને જાતે પેટમાં છરીના ઘા ઝીકયા: ઇજાગ્રસ્ત રાજકોટ સારવારમાં


SHARE













મોરબીમાં પત્ની રિસામણે જતાં રવાપર ગામે યુવાને જાતે પેટમાં છરીના ઘા ઝીકયા: ઇજાગ્રસ્ત રાજકોટ સારવારમાં

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરમાં રહેતા યુવાનને તેની પત્ની સાથે ઝઘડો થયો હતો જેથી કરીને તેની પત્ની ચાર સંતાનોને ઘરે છોડીને રવાપર ગામ પાસે ધાર વિસ્તારમાં રહેતા માવતરના ઘરે રિસામણે ચાલી ગઈ હતી જેથી યુવાન ચારેય સંતાનોને ત્યાં મુકવા માટે ગયો હતો ત્યારે યુવાનની પત્ની અને સાસરિયાઓએ બાળકોને પાછા લઈ જવા માટે કહીને તેની સાથે માથાકૂટ કરી હતી જેથી યુવાનને લાગી આવતા ત્યાં શાક બકાલું વેચતા વ્યક્તિ પાસેથી છરી લઈને તેણે પોતાની જાતે પોતાના પેટના ભાગે છરીના ઘા ઝીકિ લીધા હતા જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને વધુ સારવાર માટે રાજકોટમાં આવ્યો હતો હાલમાં આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગરમાં રહેતા નવઘણભાઈ ભગુભાઈ લાકડીયા જાતે સલાટ (ઉંમર ૩૨) નો તેની પત્ની સાથે ઘરે ઝઘડો થયો હતો અને ઝઘડા બાદ તેની પત્ની તેના ચાર સંતાનોને ઘરે છોડીને પોતાના માવતરે રિસામણે ચાલી ગઈ હતી જેથી નવઘણભાઈ લાકડીયા તેઓના ચારેય સંતાનને લઈને મોરબી નજીકના રવાપર ગામે આવેલ ધાર વિસ્તાર કે જ્યાં આ તેની પત્ની તેના માવતર રહે છે ત્યાં ગઈ હતી ત્યાં આપવા ગયા હતા માટે ગયા હતા ત્યારે તેઓની પત્ની અને સાસરીયાઓ દ્વારા સંતાનોને રાખવાના બદલે પરત લઈ જવા માટે કહીને બોલાચાલી કરવામાં આવી હતી જેથી કરીને નવઘણભાઈએ ત્યાં શાક બકાલું વેચવાવાળા વ્યક્તિ પાસેથી છરી લઈને પોતાની જાતે પોતાના પેટના ભાગે છરીના ઘા મારી દીધા હતા જેથી ઈજા પામેલા નવઘણભાઈને પ્રથમ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હાલમાં આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારી

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે રહેતા કિશન દેવશંકર તેરૈયા (૫૦) મારામારીના બનાવવામાં ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

સાપ કરડી ગયો

હળવદ તાલુકાના કોઈબા ગામની સીમમાં ભવાનીસિંહની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ગોવિંદ દલપતભાઈ તડવી (ઉંમર ૬૫) નામના વૃદ્ધને વાડીએ ઝેરી સાપ કરી જતા તેને ઝેરી અસર થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

હળવદ તાલુકાના ચરડવા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં જયશ્રીબેન ધીરુભાઈ પરમાર (૩૫) નામની મહિલાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હાલમાં આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની રાબેતા મુજબની કાર્યવાહી હાથ છે






Latest News