ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના ગાંધીચોક નજીક રિક્ષા ચાલકે રાહદારી વૃદ્ધને હડફેટે લેતા સારવાર દરમ્યાન મોત


SHARE













મોરબીના ગાંધીચોક નજીક રિક્ષા ચાલકે રાહદારી વૃદ્ધને હડફેટે લેતા સારવાર દરમ્યાન મોત

મોરબી શહેરના શનાળા રોડ ઉપરથી ગાંધી ચોક બાજુ પગપાળા ચાલીને આવી રહેલા વૃદ્ધને અજાણ્યા રીક્ષા ચાલકે અડફેટે લીધા હતા જેથી કરીને તેઓને ગંભીર ઇજા થઈ હતી અને વૃદ્ધને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી અકસ્માત મૃતયુના બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

 

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ વૈભવ નગરમાં રહેતા વાઘજીભાઈ નાનજીભાઈ ઉચાળા (ઉંમર ૮૦) મોરબીના સનાળા રોડ ઉપરથી ગાંધી ચોક બાજુ પગપાળા ચાલીને આવી રહ્યા હતા ત્યારે તેઓને અજાણ્યા રીક્ષા ચાલકે અડફેટે લીધા હતા જેથી કરીને વાઘજીભાઈને ઇજાઓ થયો હોવાથી પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન વાઘજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના જેતપર ગામે બકરા ચરાવવાની બાબતમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાજેશભાઈ બાબુભાઈ અઘારીયા જાતે દેવીપુજક (ઉંમર ૫૦) અને તેના પત્ની પારુલબેન રાજેશભાઈ અઘારીયા જાતે દેવીપુજક (ઉંમર ૪૦)ને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી તાલુકો પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી 






Latest News