ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીના વાઘપરામાં રહેતા વૃદ્ધ માતાની વાજતે ગાજતે અંતિમ યાત્રાની ઈચ્છા પૂરી કરતી છ દીકરી


SHARE













મોરબીના વાઘપરામાં રહેતા વૃદ્ધ માતાની વાજતે ગાજતે અંતિમ યાત્રાની ઈચ્છા પૂરી કરતી છ દીકરી

વર્તમાન સમયમાં કેટલાક સંતાનો તેના વૃદ્ધ માતા-પિતાને તેની વૃદ્ધાવસ્થા વખતે વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય છે ત્યારે મોરબીમાં ૭૦ વર્ષની ઉમરે કુદરતી રીતે જ અવશાન પામેલા માતાની અંતિમ ઈચ્છાને પૂરી કરવા માટે દીકરીઓએ બેન્ડ વાજા સાથે માતાની અંતિમ યાત્રા કાઢી હતી અને પાપા પગલીથી પગભર કરવા સુધીમાં જેનું શબ્દોમાં વર્ણવી ન શકાય તેટલું યોગદાન હોય છે તે માતાને અંતિમ વિદાય આપવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, સ્વાભાવિક રીતે કોઈના ઘર પાસે ડાઘુઓ ઉભા હોય ત્યારે તે ઘરની આસપાસમાં શોકનું વાતવરણ જોવા મળે છે જેથી લોકોને ખબર પડી જાય કે અહી કોઈ મઠો પ્રસંગ લાગે છે જો કે, આ અહેવાલની સાથે મુકવામાં આવેલી તસ્વીરોમાં બેન્ડ વાજા સાથે ડાઘુઓને જોઇને તમે પણ વિચારતા હશો કે, ખુશીનો માહોલ છે કે, ગમનો... માટે તમને જણાવી દઈએ કે મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા જયાબેન માધુભાઇ પરમાર જાતે સતાવરા (૭૦) નું કુદરતી રીતે અવસાન થતા તેમની સ્મશાન યાત્રામાં જોડવા માટે સગાવ્હાલા ઉપરાંત આડોશી પાડોશી સહિતના તેમના ઘરે આવ્યા હતા દરમ્યાન બેન્ડ વાજા વાળા આવીને ઘર પાસે ઉભા રહેતા ડાઘુઓ સહિતના આશ્ચર્યચકિત થઇ ગયા હતા ત્યારે તેના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું હતું કે, મૃતક જયાબેન હયાત હતા ત્યારે તેની છ દીકરીઓ પાસે પોતાની અંતિમ યાત્રા વાજતે ગાજતે કાઢવા માટેની તેમજ તેની દીકરી દ્વારા જ તેને અંતિમ દાહ આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી જેથી કરીને માતાને વાજતે ગાજતે છેલ્લી વિદાય આપવામાં આવી હતી અને તેની દીકરીની દીકરી નિધિબેન જગદીશભાઇ પરમાર દ્વારા મુખાગ્નિ આપવામાં આવી હતી આમ માતાની અંતિમ ઈચ્છાને પૂરી કરવા માટે દીકરીઓ દ્વારા અંતિમયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી જેમાં જોડાયેલા ડાઘુઓ પણ બોલી ઉઠ્યા હતા કે, વર્તમાન સમયમાં શ્રાવણ જેવા દીકરા તો ઠીક પણ દીકરી થાય તેવી આશા રાખવી પણ અતિશયોક્તિ સામન છે પરંતુ માતા-પિતાની ઈચ્છા હયાતીમાં તો ઠીક તેમની ગેરહાજરીમાં પણ પૂરી કરે તેવી દીકરીઓ ઘરે ઘરે હોય તો કદાચ વૃદ્ધાશ્રમો બંધ કરવા પડે તો નવાઈ  નહિ






Latest News