મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી શિશુ મંદિર દ્વારા નવદંપતી પ્રશિક્ષણનો કાર્યક્રમ યોજાશે


SHARE







મોરબી શિશુ મંદિર દ્વારા નવદંપતી પ્રશિક્ષણનો કાર્યક્રમ યોજાશે

કોઈપણ ઈમારતને મજબૂત બનાવવા માટે પાયા મજબૂત તથા ઊંડા જોઈએ. વૃક્ષને ધરાદાર તથા વટ વૃક્ષ બનાવવા માટે બીજ સારું જોઈએ. સમાજ રાષ્ટ્ર તથા વિશ્વને સુખી સમૃદ્ધ બનાવવા માટે વ્યક્તિ સારા જોઈએ. સારા વ્યક્તિને જન્મ આપવા માટે માતા પિતાએ સારું બનવું પડે તે નિશ્ચિત છે

પ્રાચીન સમયમાં ભારત પોતાના જ્ઞાન તથા અધ્યાત્મના બળે સમગ્ર વિશ્વને પ્રકાશ આપી જ્ઞાનગુરુ પદ સ્વભાવતો હતો. ભારતનું ગુરુ પદ વિશ્વ પર્યાવરણ તથા પ્રકૃતિને સુખ શાંતિ આપનાર હતું. ભારતે આ બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેના તપ અને અધ્યાત્મના પ્રતાપે ભારત પાસે એવા વ્યક્તિઓનો સમૂહ હતો જેમણે કઠોર સાધના કરી જીવનના રહસ્યો પામી સુખ તથા શાંતિનો માર્ગ પ્રશસ્ત કર્યો. સેકંડો વર્ષોના સંઘર્ષ તથા ગુલામીના સમયમાં આ જ્ઞાન ઘસાતું ગયું અને આજે આપણી જીવનચરિયામાં પશ્ચિમી સંસ્કૃતિ દેખાય છે. આપણા લોકોના જીવનમાં ભૌતિકતા, સ્વાર્થ, સંકોચિતતા, કપટ, કુટિલતા, અસત્ય, અપ્રમાણિકતા, પ્રમાદ વગેરેના પ્રવેશથી આપણું જીવન ઋણ બન્યું છે. સારા આત્માને જન્મ લેવો છે પણ તે યોગ્ય માતા-પિતાની શોધમાં છે.

મોરબીનું સરસ્વતી શિશુમંદિર શિક્ષણના માધ્યમથી ઉમદા માતા-પિતા બનવાની પ્રેરણા આપી તંદુરસ્ત સમાજના નિર્માણની દિશામાં કાર્ય કરે છે, આના માટે સમાજ તથા પરિવાર પ્રબોધનના વિવિધ કાર્યક્રમો વિદ્યાલય દ્વારા થતા રહે છે. આગામી તા ૧૩ ને ગુરુવારે રાત્રે ૯ વાગ્યે મોરબી શિશુમંદિર, નવા બસ સ્ટેન્ડ સામે નવદંપતી પ્રશિક્ષણનો કાર્યક્રમ રાખેલ છે. આ કાર્યક્રમમાં બાળક ઈચ્છુક દંપતી જોડાઈ શકે જેમને આ કાર્યક્રમમાં જોડાવાની જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, તેમણે શિશુમંદિરે પોતાના નામ તા ૧૧ ને મંગળવાર સુધીમાં નોંધાવી જવા આયોજકોએ જણાવ્યુ છે






Latest News