ગાયની ઉત્તમ સેવામાં અમૂલ્ય યોગદાન: મોરબીના લજાઈ ગામે એક જ નાટકથી મળ્યું ગૌસેવા માટે ૧૨.૦૧ લાખનું દાન
મોરબીની શ્રી સજનપર પ્રાથમિક શાળાના ૭૦ માં સ્થાપનાદિવસની તેમજ નવરાત્રી મહોત્સવ ઉજવણી કરાઇ
SHARE
મોરબીની શ્રી સજનપર પ્રાથમિક શાળાના ૭૦ માં સ્થાપનાદિવસની તેમજ નવરાત્રી મહોત્સવ ઉજવણી કરાઇ
ગત શનિવારને તા. ૮-૧૦ ના રોજ મોરબીના ટંકારા તાલુકાની શ્રી સજનપર પ્રાથમિક શાળાના ૭૦ માં સ્થાપનાદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના પાયાના પથ્થર અને ગામના મોટા ભાગના લોકોએ જેમની પાસે અભ્યાસ કરેલ છે તેમજ સજનપર ગામમાં જેનું ગૌરવભેર નામ લઈ શકાય એવા મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક જસમતભાઈ ભેંસદડિયા તેમજ સજનપર શાળાના જ ભૂતપૂર્વ કર્મનિષ્ઠ શિક્ષિકા દમયંતિબેન તરફથી શાળાના તમામ બાળકોને જમાડવામાં આવ્યા હતા.તેમજ જસમતભાઈ ભેંસદડિયા દ્વારા શ્રી સજનપર શાળાના ઇતિહાસ વિશે બાળકોને માહિતી આપવામાં આવી હતી.આ સાથે શાળમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી પણ કરવામાં આવી હતી.જેમાં વિવિધ પ્રકારના ઇનામો પણ જસમતભાઇ તરફથી આપવામાં આવ્યા જેમાં ધો.૧ અને ધો.૨ માટે વેલ ડ્રેસ- કુમાર અને કન્યા બંને માટે, ધો. ૩ થી ૫ માં વેલ ડ્રેસ, પ્રિન્સ, પ્રિન્સેસ અને ધો. ૬ થી ૮ માં વેલ ડ્રેસ, પ્રિન્સ, પ્રિન્સેસ જેવા ઇનામો રાખેલ હતા.જે બદલ શાળા પરિવાર દ્વારા જસમતભાઇ ભેંસદડીયાનું શાલથી સન્માન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં ગામના સરપંચ રીનાબેન જાદવ, એસએમસીના અધ્યક્ષ નંદલાલભાઈ રૈયાણી તેમજ સભ્યો તેમજ મોટી સંખ્યામાં વાલીઓએ હાજર રહીને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તેમજ શાળાના તમામ શિક્ષકોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી જે બદલ ગામના સરપંચ એ શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપેલ છે.









