મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની શ્રી સજનપર પ્રાથમિક શાળાના ૭૦ માં સ્થાપનાદિવસની તેમજ નવરાત્રી મહોત્સવ ઉજવણી કરાઇ


SHARE







મોરબીની શ્રી સજનપર પ્રાથમિક શાળાના ૭૦ માં સ્થાપનાદિવસની તેમજ નવરાત્રી મહોત્સવ ઉજવણી કરાઇ

ગત શનિવારને તા. ૮-૧૦ ના રોજ મોરબીના ટંકારા તાલુકાની શ્રી સજનપર પ્રાથમિક શાળાના ૭૦ માં સ્થાપનાદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના પાયાના પથ્થર અને ગામના મોટા ભાગના લોકોએ જેમની પાસે અભ્યાસ કરેલ છે તેમજ સજનપર ગામમાં જેનું ગૌરવભેર નામ લઈ શકાય એવા મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક જસમતભાઈ ભેંસદડિયા તેમજ સજનપર શાળાના જ ભૂતપૂર્વ કર્મનિષ્ઠ શિક્ષિકા દમયંતિબેન તરફથી શાળાના તમામ બાળકોને જમાડવામાં આવ્યા હતા.તેમજ જસમતભાઈ ભેંસદડિયા દ્વારા શ્રી સજનપર શાળાના ઇતિહાસ વિશે બાળકોને માહિતી આપવામાં આવી હતી.આ સાથે શાળમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી પણ કરવામાં આવી હતી.જેમાં વિવિધ પ્રકારના ઇનામો પણ જસમતભાઇ તરફથી આપવામાં આવ્યા જેમાં ધો.૧ અને ધો.૨ માટે વેલ ડ્રેસ- કુમાર અને કન્યા બંને માટે, ધો. ૩ થી ૫ માં વેલ ડ્રેસ, પ્રિન્સ, પ્રિન્સેસ અને ધો. ૬ થી ૮ માં વેલ ડ્રેસ, પ્રિન્સ, પ્રિન્સેસ જેવા ઇનામો રાખેલ હતા.જે બદલ શાળા પરિવાર દ્વારા જસમતભાઇ ભેંસદડીયાનું શાલથી સન્માન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં ગામના સરપંચ રીનાબેન જાદવ, એસએમસીના અધ્યક્ષ નંદલાલભાઈ રૈયાણી તેમજ સભ્યો તેમજ મોટી સંખ્યામાં વાલીઓએ હાજર રહીને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તેમજ શાળાના તમામ શિક્ષકોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી જે બદલ ગામના સરપંચ એ શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપેલ છે.






Latest News