મોરબીના જડેશ્વર મહાદેવ મંદિરે દુર્ગાપૂજાનું આયોજન
SHARE
મોરબીના જડેશ્વર મહાદેવ મંદિરે દુર્ગાપૂજાનું આયોજન
મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જડેશ્વર મહાદેવ મંદિર ખાતે અંબાજી માતાના મંદિર પાસે ભવ્ય દુર્ગાપૂજામાં ૨ થી ૧૨ વર્ષની ૫૫૧ દીકરીનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ દ્વારા ધાર્મિક વિધિ કરવામાં આવી હતી અને આ તકે ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા અને ત્યારે દીકરીઓ માટે ગરબા અને બટુક ભોજનનો કાર્યક્રમ પણ રાખવામા આવ્યો હતો