માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામા એકને એક ટેબલે ચીપકી ગયેલા અધિકારી-કર્મચારીઓની બદલી કરવાની માંગ


SHARE













મોરબી જિલ્લામા એકને એક ટેબલે ચીપકી ગયેલા અધિકારી-કર્મચારીઓની બદલી કરવાની માંગ

મોરબી જિલ્લો બની ગયેલ આશરે બાર વર્ષ જેટલો સમય થયેલ છે અને ઘણા કર્મચારીઓ છેલ્લા ઘણા વર્ષોથી એક જ જગ્યા ઉપર કે પછી એક જ શાખામાં વર્ષોથી નોકરી કરી રહ્યા છે જેથી કરીને તે બેફામ બની ગયા છે માટે આ કર્મચારીઓને સરકારના નિયમ પ્રમાણે બદલાવવામાં આવે તે જરૂરી છે

મોરબી જિલ્લાની જુદીજુદી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓની બદલી ઘણા સમયથી થયેલ નથી અને સરકારનો ત્રણ વર્ષનો નિયમ હોવા છતાં કર્મચારીની બદલી કેમ કરવામાં આવતી નથી તે તપાસનો વિષય છે અને વર્ષોથી ઘણા કર્મચારીઓ એક જ શાખામાં કામ કરી રહ્યા યોવાથી તે પોતાની મનમાંની ચલાવી રહ્યા છે જેથી કરીને પી.પી. જોશી દ્વારા આવા અધિકારી અને કર્મચારીઓને બદલાવવા માટેની માંગ કરવામાં આવી છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, જીલ્લામાં બિનખેતી, મેજી, અપીલ, ઇ-ધરા વિભાગ અને પ્રાંત તેમજ મામલતદાર કચેરીમાં ઘણા અધિકારી પોતાના મનમાનીતા કર્મચારીને રાખવામાં આવેલ છે જેની બદલી પણ કરવામાં આવતી નથી તે તપાસનો વિષય છે અને લોકોની સુખાકારી માટે વહેલમાં વહેલી તકે વર્ષોથી એક જ જગ્યાએ ગોઠવાઈ ગયેલા અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરવામાં આવે તે અનિવર્ય છે 






Latest News