ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવતી નર્મદા ત્રણેય કેનાલમાં પાણી છોડાવવા સીએમને રજૂઆત


SHARE







મોરબી જીલ્લામાં આવતી નર્મદા ત્રણેય કેનાલમાં પાણી છોડાવવા સીએમને રજૂઆત

મોરબી જીલ્લામાં નર્મદા ત્રણ કેનાલ આવી રહી છે જો કે, હાલમાં ખેડૂતોને પાણીની જરૂર છે ત્યારે આ કેનાલમાં પાણી આવી રહ્યું નથી જેથી કરીને આ ત્રણે બ્રાંચમાં ખરીફ સીઝન માટે પાણી આપવામાં આવે તેવી સીએમને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવાએ રજૂઆત કરી છે

મોરબી જીલ્લામાં અમુક વિસ્તારમાં અતિવૃષ્ટિથી પાક નિષ્ફળ ગયેલો છે. તે જગ્યાએ નવો પાક વાવવાનો છે. તો અમુક જગ્યાએ જે પાક બચી જવા પામેલ છે. તેને હાલમાં પાણીની જરૂરિયાત છે જો કે, નર્મદની કેનાલમાં હાલમાં પણી આવી રહ્યું નથી જેથી કરીને ખેડૂતની મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે નર્મદા ડેમમાં પુષ્કળ પાણીનો જથ્થો છે અને ડેમ ઓવરફલો થયેલ છે તો ખેડૂતો માટે તાત્કાલિક પાણી કેનાલમાં છોડવામાં આવે તેવી માંગ સાથે સીએમને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવાએ રજૂઆત કરી છે વધુમાં તેને જણાવ્યુ છે કે, નર્મદાની કેનાલોમાં ફક્ત ધ્રાંગધ્રા તથા અમુક હળવદના ગામોના ખેડૂતોને બાદ કરતા મોરબી જીલ્લાના માળિયા તથા મોરબી તાલુકાના ગામોના ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી મળી રહ્યું નથી જેથી કરીને કેનાલની ફૂલ કેપેસિટી મુજબનું પાણી કેનાલમાં છોડવામાં આવશે તો જ છેવાડાના ગામના ખેડૂતોને કેનાલમાંથી પાણી મળી શકે તેમ છે અને અધિકારીને બેદરકારીના લીધે ઘણી જગ્યાએ બકનળીઓ મૂકીને પાણીનો બગાડ કરવામાં આવે છે. તેને પણ રોકવામાં આવે તે જરૂરી છે અને સિંચાઇ માટેનું પાણી ૧૦ દિવસમાં નહિ મળે તો ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જાય તેમ છે. ત્યારે પાકને બચાવવા માટે પાણી ન છોડવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે

શહેરની સફાઈ માટેની સીએમને રજૂઆત

ચાલુ સાલે ચોમાસામાં અતીવૃષ્ટિથી લોકોએ ખુબજ પરેશાની ભોગવેલ છે. હજુ પણ ઘણી જગ્યાએ પાણી ભરાયેલ છે. જેનો કોઈ નીકાલ  કરવામાં આવેલ નથી. આવી જ રીતે મોરબી શહેરમાં ઠેર ઠેર ગંદગી ફેલાયેલી છે. તેમજ  કચરાના ઢગલાઓ પડેલ છે. જેથી કરીને મચ્છર તેમજ અન્ય જીવજંતુઓનો ત્રાસ વધેલો છે. અને શહેરમાં મચ્છર  તેમજ પાણી જન્ય રોગોચાળો ફેલાયેલ છે. ત્યારે ડેન્ગ્યું, મલેરિયા, ટાઈફોડ, ઝાડા, ઉલ્ટી વગેરે પ્રકારના  રોગોના કેસ વધી રહ્યા છે જેથી મોરબીની જનતાને આ નર્ક જેવી પરિસ્થિતિમાંથી ઉગારવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને રજૂઆત કરી છે






Latest News