મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના રોહીદાસપરામાં પાડોશીઓ વચ્ચે મારામારી: મહિલા સહિત સાતને ઇજા


SHARE













મોરબીના રોહીદાસપરામાં પાડોશીઓ વચ્ચે મારામારી: મહિલા સહિત સાતને ઇજા

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવવામાં એક મહિલા સહિત સાત વ્યક્તિઓને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા દેવજીભાઈ અમરાભાઇ સોલંકી (૬૨), કેશવજીભાઈ અમરાભાઇ સોલંકી (૬૦), પુષ્પાબેન કેશવજીભાઈ સોલંકી (૫૬), હમીરભાઈ અમરાભાઇ સોલંકી (૪૮), ગોપાલભાઈ ડોસાભાઇ ચાવડા (૨૭), રાજેશભાઈ કેશવજીભાઈ સોલંકી (૩૨), મુકેશભાઈ કિરીટભાઈ સોલંકી (૨૮) રહે. બધા રોહીદાસપરા વાળાને મારામારીના બનાવમાં ઈજા થઈ હોવાથી મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા હોય તેની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પાડોશીઓ સાથે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો અને મારામારીમાં મહિલા સહિત સાત વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસવામાં આવ્યા છે

મારામારીમાં ઇજા

મોરબી નજીકના નાનીવાવડી ગામ પાસે આવેલ સંકલ્પ સંકુલ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવવામાં નાણાઈ વાવડી ગામે રહેતા પ્રકાશભાઈ ભાણજીભાઈ વાઘેલા (૨૫) નામના યુવાને ઇજાઓ થયેલ હતી જેથી તે યુવાનને સારવારમાં ખસેડાયો હતો આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ હરિઓમ પાર્કમાં રહેતા ભરતભાઈ જીવરાજભાઈ દેત્રોજા બાઈક લઈને મહેન્દ્રનગર નજીક આવે સીએનજીના પંપ પાસેથી પસાર થતા હતા ત્યારે ઢોર રસ્તા પર આડુ આવતા ઢોર સાથે તેનું બાઇક અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતમાં ઇજા પામેલા ભરતભાઈ દેત્રોજાને પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી






Latest News