ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો મોરબીના વિદ્યુત સ્મશાનમાં સફાઈ કામ કરતી મહિલાનું વીજ શોક લાગતા મોત વાંકાનેરના ઢુવા ગામે પત્નીએ રસોઈ ટાઈમે બનાવેલ ન હોય લાગી આવતા યુવાને કર્યો આપઘાત મોરબીના બેલા ગામ નજીક મશીનના બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ સોસાયટી પાસે સ્કૂટરને બાઇક ચાલકે ટક્કર મારતા આધેડનું મોત


SHARE













મોરબીમાં રાજ સોસાયટી પાસે સ્કૂટરને બાઇક ચાલકે ટક્કર મારતા આધેડનું મોત

મોરબીના નજર બાગ રોડ ઉપર આવેલ રાજ સોસાયટી પાસેથી પસાર થઈ રહેલા સ્કૂટર ચાલકને બાઇક ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને સ્કૂટર લઈને જઈ રહેલા આધેડને માથામાં હેમરેજ થઈ જવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોઓરડી વાવડી વાળી લાઈનમાં રહેતા મયંકભાઇ મનસુખભાઈ સવાડીયા જાતે પ્રજાપતિ કુંભાર (ઉંમર ૩૦)એ અજાણ્યા બાઇક ચાલકની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. ૨૦/૯ ના રોજ સવારે ૧૦ વાગ્યાના અરસામાં મોરબીના નજર બાગ રોડ ઉપર આવેલ રાજ સોસાયટી પાસેથી તેના પિતા સ્કૂટર નંબર જીજે ૩ ડીએલ ૨૨૮૬ લઈને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેઓના સ્કૂટરને ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ફરિયાદીના પિતાને માથામાં હેમરેજ થઈ જવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતકના દીકરાની ફરિયાદ લઈને મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો નોંધ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે

મારામારી

હળવદ તાલુકાના જુના દેવડીયા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જે મારામારીના બનાવવામાં સાહિલ ગંગારામ રાઠોડ (ઉંમર ૩૫)  અને મંજુબેન સાહિલ રાઠોડ (ઉંમર ૩૨) ને ઇજાઓ થઈ હોવાથી તે બંને ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જેથી કરીને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી

મારામારી

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં બાવા અહેમદશા મસ્જિદ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાજકોટમાં રહેતા સાયરાબેન સલીમભાઈ ચાનિયા (ઉમર ૬૦) ને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મારામારીના બનાવની નોંધ કરીને કયા કારણોસર વૃદ્ધાને માર મારવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી હતી






Latest News