મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

અણિયારી ચોકડીથી મોરબી આવતા યુવાનનો રસ્તાના ખાડાએ ભોગ લીધો


SHARE













અણિયારી ચોકડીથી મોરબી આવતા યુવાનનો રસ્તાના ખાડાએ ભોગ લીધો

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતો યુવાન અણિયારી ચોકડી પાસેથી બાઇક લઈને મોરબી પરત આવી રહ્યો હતો ત્યારે મોરબીના ગાળા ગામથી જેતપર રોડ તરફ જવાના રસ્તા ઉપર રેલવેનો વર્ષો જૂના પુલ આવેલ છે તેના ઉપરથી પસાર થતા સમયે રસ્તા વચ્ચે ખાડા આવતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા થવાથી યુવાનનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું આ બનાવની મોરબી તાલુકા પોલીસને જણા કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

ગઇકાલે રાત્રિનાં સમયે મોરબીના ગાળા ગામથી જેતપર રોડ તરફ જવાના રસ્તા ઉપર રેલવેનો વર્ષો જૂના પુલ ઉપર પડેલા ખાડાએ આશા સ્પદ યુવાનનો ભોગ લીધેલ છે અને છાતીમાં ગંભીર ઇજા થવાના કારણે યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને અકસ્માતના આ બનાવની તપાસ કરી રહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતો અને ડ્રાઇવિંગ કામ કરતો નિલેષભાઈ થોભણભાઇ હમીરપરા (૪૨) અણિયારી ચોકડી પાસે વાહન મૂકવા માટે ગયો હતો અને ત્યાંથી વાહન મૂકીને પરત મોરબી આવી રહ્યો હતો ત્યારે અક્સમાતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનનું મોત નીપજયું છે

અત્રે ઉલ્લેખનીય છે કે એક નહીં પરંતુ અનેક વખત મોરબીના ગાળા ગામથી જેતપર તરફ જવા માટેના આ પુલને રીપેર કરવા માટે થઈને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ બેદરકાર અધિકારીઓ અને બેજવાબદાર નેતાઓના કારણે આ પુલનું રીપેરીંગ કામ આજની તારીખે થયેલ નથી અને જર્જરીત પુલ ઉપરથી જીવના જોખમે લોકો પોતાના વાહન લઈને અવરજવર કરતા હોય છે તે હકીકત છે દરમિયાન આજે આશાસ્પદ યુવાનનું જીવલેણ અકસ્માતમાં મોત નિપજ્યુ છે હજુ આગામી દિવસોમાં આવી જ રીતે કેટલા લોકોના મૃત્યુ નિપજે તેની રાહ તંત્ર દ્વારા જોવાઈ રહી છે તે સૌથી મોટો સવાલ છે






Latest News