મોરબીના રવાપર ગામે ગૌશાળાના સંચાલકને માર મારનારા રબારીની ધરપકડ
મોરબીના લખધીરપુર રોડ ઉપર કારખાનામાં કામ દરમિયાન ઈજા થતા યુવાન રાજકોટ ખસેડાયો
SHARE
મોરબીના લખધીરપુર રોડ ઉપર કારખાનામાં કામ દરમિયાન ઈજા થતા યુવાન રાજકોટ ખસેડાયો
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર રોડ ઉપર આવેલ કારખાનામાં કામ દરમિયાન મજૂરને ઈજા પહોંચી હતી જેથી કરીને તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર રોડ ઉપર આવેલ સોરીસો ચોકડી નજીકના ઓપવેલ સીરામીકના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા સંજય રાધેશ્યામભાઈ સોલંકી નામના યુવાનને ગઈકાલે કામ દરમિયાન ઇજાઓ પહોંચી હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે આપવામાં આવી હતી અને ત્યાંથી તેને વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયો છે. બનાવને પગલે તાલુકા પોલીસે નોંધ કરી છે જેની આગળની તપાસ એ.એમ.ઝાપડીયા દ્રારા હાથ ધરવામાં આવેલ છે.જ્યારે મોરબીના ફેમસ સીરામીક નામના યુનિટ નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા રાકેશભાઈ બાબુભાઈ વર્મા નામના ૨૫ વર્ષના યુવાનને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
યુવાન રાજકોટ ખસેડાયો
મોરબીના રાજકોટ હાઇવે ઉપર સમયના ગેટ પાસેથી અજાણ્યા યુવાનને ૧૦૮ વડે સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.બનાવને પગલે હાલમાં એ ડિવિઝનન પોલીસ મથકના નંદરામ મેસવાણિયા દ્વારા તપાસ કરવામાં આવી છે.
યુવાન સારવારમાં
મોરબીના પીપળી રોડ ઉપર આવેલ સ્ટારકો સીરામીક નજીક આશીર્વાદ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસની અંદર રહેતા અતુલ નટવરલાલ પાઠક નામના ૩૯ વર્ષીય યુવાનને ઓફિસના બાથરૂમમાં કેમિકલની બોટલ ઢોળાતા શ્વાસ લેવામાં તકલીફ થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો જેથી પોલીસે બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.