મોરબીના નવલખી રોડે સેન્ટ્રીગ કામ કરતાં યુવાનનું વીજશોકથી મોત
SHARE
મોરબીના નવલખી રોડે સેન્ટ્રીગ કામ કરતાં યુવાનનું વીજશોકથી મોત
મોરબીના નવલખી ફાટક પાસે આવેલ યોગી વિધ્યાલય પાછળના ભાગમાં બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે સેંટિંગનું કામ કરી રહેલા મૂળ રાજસ્થાનના રહેવાસી યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર યોગી વિધ્યાલય પાછળના ભાગમાં બાંધકામ ચાલી રહ્યું છે અને ત્યાં મુળ રાજસ્થાનના ઉદેપુરનો રહેવાસી અને હાલમાં અમદાવાદ વાડજ ખાતે રહેતા નથુલાલ સોહમ સરફોટા નામનો ૨૧ વર્ષીય યુવાન સેંટિંગનું કામ કરી રહ્યો હતો ત્યારે ઇલેક્ટ્રીક વાયરને અડી ગયો હતો જેથી કરીને વીજ શોક લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું બાદમાં તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલે લઈને ગયા હતા અને આ બનવાની મોરબી વી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી