મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

પંજાબના કેબિનેટ મિનિસ્ટરની હાજરીમાં ટંકારામાં આમ આદમી પાર્ટીની પદયાત્રા-સભા યોજાશે


SHARE















પંજાબના કેબિનેટ મિનિસ્ટરની હાજરીમાં ટંકારામાં આમ આદમી પાર્ટીની પદયાત્રા-સભા યોજાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટંકારા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવેલ છે ત્યારે પંજાબના કેબિનેટ મિનિસ્ટરની હાજરીમાં આજે ટંકારમાં લતિપર ચોકડીથી ઉગમણા નાકા ચોક સુધી પદયાત્રા યોજાશે અને બાદ સભા પણ યોજાશે

આમ આદમી પાર્ટી ટંકારા તાલુકા દ્રારા આજે તા ૧૮ ના રોજ સાંજે ૪ કલાકે લતિપર ચોકડીથી ઉગમણા નાકા ચોક સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પદયાત્રા બાદ ઉગમણા ચોકમાં સભા રાખવામા આવે છે તે સભાને પંજાબના કેબિનેટ મિનિસ્ટર હરભજનસિંહ સંબોધશે અત્રે ઉલેખનીય છે કે, આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવાની છે ત્યારે ૬૬- ટંકારા-પડધરી વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે સંજયભાઇ ભટાસણનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને સંજયભાઈ ભટાસણા છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીનું સંગઠન મોરબી જીલ્લામાં મજબૂત બને તેના માટે સક્રિય છે ત્યારે ટંકારામાં આજે યોજાનાર પદયાત્રા અને સભામાં આમ આદમી પાર્ટીના આગેવાનો, હોદેદારો  અને કાર્યકરો તેમજ લોકોને હાજર રહેવા માટે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાના પ્રમુખ વસંતભાઈ ગોરીયા દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News