મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના ખીજડીયા નજીક ચાર ઈસમોએ ઝેરી પાવડર પીવડાવી દેતા યુવાન સારવારમાં


SHARE













ટંકારાના ખીજડીયા નજીક ચાર ઈસમોએ ઝેરી પાવડર પીવડાવી દેતા યુવાન સારવારમાં

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના ટંકારા તાલુકાના ખીજડીયા ગામે ખીજડીયા ચોકડી પાસે યુવાનને ઝેરી અસર થતા યુવાનને સારવારમાં મોરબી ખસેડાયો હતો જ્યાં તેણે આપેલ કેફીયત મુજબ ચાર અજાણ્યા ઈસમોએ તેને પકડીને ઝેરી પાવડર પીવડાવી દેતા તેને ઝેરી અસર થઈ હતી અને જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો છે.જેથી બનાવ સંદર્ભે ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા હાલ ટંકારા પોલિસે આગળની તપાસ હાથ ધરી છે.

વધુમાં મળતી માહીતી મુજબ ટંકારા તાલુકાના ખીજડીયા ગામે રહેતા ગૌતમભાઇ ઉમેશભાઈ પંડિત નામના ૨૬ વર્ષીય યુવાનને ઝેરી અસર થતા સારવાર માટે મોરબી ખસેડાયો હતો અને યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાથમિક તપાસ માટે ગયેલા એચ.એમ.ચાવડાને જણાવ્યું હતું કે ચાર અજાણ્યા ઇશમોએ તેને પકડીને ઝેરી પાવડર પીવડાવી દીધો છે અને જેથી તેને ઝેરી અસર તથા સારવારમાં મોરબી લવાયો છે જેથી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા બનાવ અંગે વધુ તપાસ અર્થે ટંકારા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતો તેજસ ગોપાલભાઈ રાઠોડ નામનો ૩૩ વર્ષનો યુવાન મોરબી-રાજકોટ હાઇવે ઉપરથી જતો હતો ત્યારે ત્યાં વીરપર ગામની ચોકડી પાસે તેના બાઈક આડે ગાય આડી ઉતરતા બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બનેલ જેમાં માથાના ભાગે ઈજા થવાથી હાલતમાં તેજસભાઇ રાઠોડને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના લખધીરવાસ વિસ્તારમાં કૃપાનિધિ એપાર્ટમેન્ટમાં રહેતા જીજ્ઞાબેન અમિતભાઈ પનારા નામની ૩૫ વર્ષીય મહિલાએ ઘઉમાં નાંખવાનો પાવડર ભૂલથી પી લેતા તેને સારવાર માટે નક્ષત્ર હોસ્પિટલે ખસેડાયા હતા.જેમાં પોલીસના જણાવ્યા પ્રમાણે જીજ્ઞાબેન વજન ઉતારવાની દવાનો પાવડર પીતા હોય ત્યારે ભૂલથી ઘઉંમાં નાખવાનો પાવડર બાજુમાં પડ્યો હોય તે પીવાઇ ગયો હતો અને તેઓને સારવારમાં લઈ જવાયા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રવાપર ગામે રહેતા મહેન્દ્રભાઈ રણછોડભાઈ અઘારા નામનો ૪૦ વર્ષીય યુવાન બાઇકમાં જતો હતો ત્યારે રવાપર રોડ ઉપરના પટેલ પાન નજીક તેનો પગ એંગલ સાથે અથડાતા ઇજાઓ થતા તેને સારવારમાં દવાખાને લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના એસપી રોડ ઉપર આઇકોન એપાર્ટમેન્ટ નજીક બાઇક સ્લીપ થઈ જવાના બનેલા બનાવમાં ટંકારાના સજજનપર ગામના રહેવાથી મોહિતવન અજીતવન ગોસ્વામી નામના ૧૭ વર્ષીય યુવાનને ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે અત્રે ક્રિષ્ના હોસ્પિટલે ખસેડાયો હતો






Latest News