ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

કશું બોલીશ તો કાપીને કેનાલમાં ફેંકી દેશું: નર્મદાની કેનાલે મશીન ચાલુ કરવા ગયેલ મહિલાને ધમકી


SHARE













કશું બોલીશ તો કાપીને કેનાલમાં ફેંકી દેશું: નર્મદાની કેનાલે મશીન ચાલુ કરવા ગયેલ મહિલાને ધમકી

હળવદ તાલુકાના રાયસંગપુર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી પાણી લેવા માટે મશીન મુકનાર યુવાનનું મશીન ચાર શખ્સો દ્વારા વિના કારણે બંધ કરી દેવામાં આવ્યું હતું જેથી કરીને તે યુવાનની પત્ની મશીન ચાલુ કરવા માટે ગઈ હતી ત્યારે આરોપીઓએ તેને કશું બોલીશ તો કાપીને કેનાલમાં ફેંકી દેશું તેવી ધમકી આપવામાં આવી હતી જેથી યુવાન ત્યાં જતા ચારેય શખ્સો દ્વારા તેને લોખંડના પાઇપ અને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપુર ગામે રહેતા શંકરભાઈ નથુભાઈ કંઝારીયા જાતે દલવાડી (ઉંમર ૪૨) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નરેન્દ્રભાઈ ઉર્ફે નંદો ગણેશભાઈ દલવાડી, રવિભાઈ લાભુભાઈ સોઢા, કિશોરભાઈ લાભુભાઈ સોઢા અને રવિભાઈ સોઢાનો ભાણેજ રહે. બધા જ રાયસંગપુર આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ  છે કે, રાયસંગપુર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી પોતાની વાડી સુધી પાણી લઈ જવા માટે નર્મદાની કેનાલે તેઓએ મશીન મુકેલ છે અને તે મશીન આરોપીઓએ કોઈ કારણ વિના બંધ કરી દીધું હતું જેથી કરીને ફરિયાદી શંકરભાઈના પત્ની સરોજબેન તે મશીન ચાલુ કરવા માટે ગયા હતા અને ત્યારે આરોપીઓએ તેને કશું બોલીશ તો કાપીને કેનાલમાં ફેંકી દેશું તેવી ધમકી આપી હતી જેથી કરીને શંકરભાઈ ત્યાં ગયા હતા ત્યારે આરોપી નરેન્દ્રભાઈ ઉર્ફે નંદો અને રવિભાઈ સોઢાએ તેને લોખંડના પાઈપથી માર માર્યો હતો અને અન્ય બે આરોપીઓએ લાકડી વડે તેને માર માર્યો હતો જેથી શંકરભાઈને ઇજા થતાં સારવારમાં લઈને ગયા હતા અને સારવાર લીધા બાદ તેને ચારેય શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News