મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

કશું બોલીશ તો કાપીને કેનાલમાં ફેંકી દેશું: નર્મદાની કેનાલે મશીન ચાલુ કરવા ગયેલ મહિલાને ધમકી


SHARE











કશું બોલીશ તો કાપીને કેનાલમાં ફેંકી દેશું: નર્મદાની કેનાલે મશીન ચાલુ કરવા ગયેલ મહિલાને ધમકી

હળવદ તાલુકાના રાયસંગપુર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી પાણી લેવા માટે મશીન મુકનાર યુવાનનું મશીન ચાર શખ્સો દ્વારા વિના કારણે બંધ કરી દેવામાં આવ્યું હતું જેથી કરીને તે યુવાનની પત્ની મશીન ચાલુ કરવા માટે ગઈ હતી ત્યારે આરોપીઓએ તેને કશું બોલીશ તો કાપીને કેનાલમાં ફેંકી દેશું તેવી ધમકી આપવામાં આવી હતી જેથી યુવાન ત્યાં જતા ચારેય શખ્સો દ્વારા તેને લોખંડના પાઇપ અને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપુર ગામે રહેતા શંકરભાઈ નથુભાઈ કંઝારીયા જાતે દલવાડી (ઉંમર ૪૨) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નરેન્દ્રભાઈ ઉર્ફે નંદો ગણેશભાઈ દલવાડી, રવિભાઈ લાભુભાઈ સોઢા, કિશોરભાઈ લાભુભાઈ સોઢા અને રવિભાઈ સોઢાનો ભાણેજ રહે. બધા જ રાયસંગપુર આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ  છે કે, રાયસંગપુર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી પોતાની વાડી સુધી પાણી લઈ જવા માટે નર્મદાની કેનાલે તેઓએ મશીન મુકેલ છે અને તે મશીન આરોપીઓએ કોઈ કારણ વિના બંધ કરી દીધું હતું જેથી કરીને ફરિયાદી શંકરભાઈના પત્ની સરોજબેન તે મશીન ચાલુ કરવા માટે ગયા હતા અને ત્યારે આરોપીઓએ તેને કશું બોલીશ તો કાપીને કેનાલમાં ફેંકી દેશું તેવી ધમકી આપી હતી જેથી કરીને શંકરભાઈ ત્યાં ગયા હતા ત્યારે આરોપી નરેન્દ્રભાઈ ઉર્ફે નંદો અને રવિભાઈ સોઢાએ તેને લોખંડના પાઈપથી માર માર્યો હતો અને અન્ય બે આરોપીઓએ લાકડી વડે તેને માર માર્યો હતો જેથી શંકરભાઈને ઇજા થતાં સારવારમાં લઈને ગયા હતા અને સારવાર લીધા બાદ તેને ચારેય શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News